________________
છે તેથી દેહ અને જીવ તેને એકરૂપે જણાય છે. તેની સર્વ ક્રિયાઓ પણ તે માન્યતા પ્રમાણે થાય છે.
કોઈ સદ્બોધના યોગે તેને સમજાય છે કે જીવ અને અજીવ ભિન્ન છે. એક ક્ષેત્રમાં રહ્યા છે, પણ લક્ષણથી કે ગુણથી ભિન્ન છે. જીવના મનાતા કે કહેવાતા જન્મ જરા, મરણ, રોગ, શોક ઇત્યાદિ પુદ્ગલ આશ્રયી છે. પણ જીવસ્વરૂપે નથી. એ સર્વ અવસ્થાઓમાં જીવ પોતે ચૈતન્યસ્વરૂપે જ રહે છે અર્થાત્ શીવસ્વરૂપે છે. દેહમાં રહેવા છતાં લક્ષણે ભિન્ન આત્મા દેહસ્વરૂપે થતો નથી, સદા સર્વથા ન્યારો રહે છે. પરંતુ અજ્ઞાનવશ જે પ્રકારનો ઉદય હોય તેવી અવસ્થાથી તે વર્તે છે.
આત્માનો શિવસ્વરૂપ નિર્ણય થવામાં તેના એકપણાનું અને ભિન્નપણાનું જ્ઞાન તેને ગુરુગમથી ગુરુકૃપાથી પ્રાપ્ત થાય છે. જીવ સંયોગ સંબંધે પુદ્ગલસંગી થઈ પૌદ્ગલિક ચેષ્ટા કરે છે. અને સ્વભાવમાં રહે ત્યારે સ્વાભાવિકપણે સ્વસ્વરૂપમાં રમણતા કરે છે. અર્થાત્ પોતે પોતાના સ્વરૂપથી એકપણે છે અને પુદ્ગલથી ભિન્નપણે છે તેવું જ્ઞાન નિરંતર વર્તે છે. જીવો માત્ર ચૈતન્ય લક્ષણ વડે એક સ્વભાવવાળા હોવા છતાં દરેક આત્મા ભિન્ન અને સ્વતંત્ર પદાર્થ છે. શિવરૂપ આત્મા નિત્ય અને શુદ્ધ સ્વરૂપને જાણે છે. શિવરૂપ આત્મા ક્રોધ, માન, માયા કે લોભની અવસ્થાવાળો નથી. સ્વયં ક્રોધાદિ કરવાવાળો સ્વભાવથી નથી કે કોઈના ક્રોધાદિનું નિમિત્ત નથી. એ સર્વ પુદ્ગલના સંયોગે થતી ચેષ્ટાઓ છે. એવું જાણી જે આત્મા એ પર્યાયોથી પોતાને ભિન્ન અને શુદ્ધ અનુભવે છે તે સ્વયં શિવરૂપ બને છે.
જેમ વિવિધ પદાર્થોથી ભરેલા ઘડાઓમાં કોઈ ઘડો ઘીનો હોવાથી તે નામનો આરોપ પામે છે. તેમાં વ્યવહારની વ્યવસ્થા છે કે ઘીનો કે છાશનો ઘડો લાવો ફક્ત ઘડો કહેવાથી વ્યવહારની વ્યવસ્થા જળવાતી નથી. તેથી જે જે પદાર્થ ઘડામાં છે તે તે પદાર્થથી ઘડો ઓળખાય છે. વાસ્તવમાં ઘડો માટીનો છે. તેમ આત્માની બાહ્ય ચેષ્ટાથી આત્માને ક્રોધી વગેરે આરોપ કરવામાં આવે છે. સત્તાગતપણે
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
૧૧
www.jainelibrary.org