________________
સહજ સ્વરૂપ જ્ઞાનદશાથી અભિન્ન છે. આથી ક્રમશ: તેઓ મુક્તિ પ્રત્યે પ્રયાણ કરી રહ્યા હોય છે.
ક્રોધી માની માયી લોભી પુગલરાગે હોય; પુદ્ગલસંગ વિના ચેતન એ, શિવનાયક નિત જોય. ૯
પુદ્ગલજનિત કર્મપ્રકૃતિના ઉદયે જીવ ક્રોધના ઉદયમાં પોતાને ક્રોધી, માન ઉદયમાં માની, માયાના ઉદયમાં માયાવી અને લોભના ઉદયમાં લોભી માને છે. પ્રકૃતિને વશ તેવી ચેષ્ટા કરે છે.
ક્રોધની પ્રકૃતિનો ઉદય થતાં આંખ, મુખ વગેરેમાં આકુળતા અને આક્રોશ પ્રગટ થાય છે. તે પ્રકૃતિને વશ જીવ જાણે પાગલ જેવો વર્તે છે. ક્રોધાવેશમાં તે આત્મા જેવા સમતાભરપૂર તત્ત્વને ભૂલી જાય છે. અને પોતાના જ પરિણામ વડે પોતાનું જ અહિત કરે છે. કારણ કે કેવળ પુદ્ગલના સંગે જીવે પોતાને કર્મપ્રકૃતિરૂપે માન્યો છે.
વળી માનપ્રકૃતિના ઉદયે જીવે પોતાને ગોરો-કાળો, ગરીબ-શ્રીમંત, ઊંચો-નીચો માન્યો છે, અહંકારવશ પોતે માની એમ જાણીને માન કષાયને વશ ચેષ્ટાઓ કરે છે.
તે પ્રમાણે માયાના સંગે જીવ માયાની ચેષ્ટા કરી પોતાને માયાવી માને છે. અન્યને છેતરી પોતે કંઈ મેળવે છે, પણ તે જાણતો નથી કે આ માયા વડે પોતે જ પોતાને ઠગી રહ્યો છે.
લોભના ઉદયે લોભની ચેષ્ટા કરી અજ્ઞાનવશ પોતાને લોભી માને છે. આ સર્વ ચેષ્ટા પુદ્ગલના સંગના યોગથી થઈ છે. લોભી માનવની તૃષ્ણા અમર્યાદિત હોય છે. અન્ય પાસેથી વિના હક્કનું મેળવવું એ જ એનું લક્ષ્ય હોય છે. લોભી જીવ આલોકમાં અપયશ પામે છે. પુદ્ગલના સંગે થતી અવસ્થાઓથી પોતે જુદો છે તેવું ભાન રાખે તો આત્માનું સ્વરૂપ ક્રોધાદિ અવસ્થાઓ રહિત શુદ્ધ છે તેની પ્રતીતિ થાય.
અનાદિ કાળથી જીવે પુદ્ગલ સંગે તેની સાથે ઐક્યતા કરી છે. તેના સાંભળવામાં પણ એમ જ આવ્યું છે કે દેહ તે આત્મા
૧૦
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org