________________
અને દેહની ભિન્નતા જણાવે છે. પરંતુ ભેદજ્ઞાન તો આત્માનુભૂતિ સુધી લઈ જાય છે. સાકરનું વર્ણન તે શાસ્ત્ર છે, અને સાકરના સ્વાદનો અનુભવ તે ભેદજ્ઞાન છે.
અધ્યાત્મસારમાં પણ ભેદજ્ઞાનને મુક્તિનું સાધન કહ્યું છે. ભેદજ્ઞાન વિના જીવ ગમે તેવા તપાદિ કરે, કષ્ટ કરે, ક્રિયા કરે તે વ્યર્થ છે. સંસાર અને સંસારના પદાર્થોથી, તે પદાર્થોની મૂર્છાથી ઉપયોગને વ્યાવૃત્ત રાખવો તે ભેદશાન છે. આત્મા કર્મોનો અને પુણ્યાદિ સંયોગોનો અભેદભાવ તે બંધન છે. તે સર્વ અવસ્થામાં ઉપયોગનું એકત્વ તે બંધન છે. આત્મા જ્ઞાનસ્વરૂપથી અભેદ છે. પરંતુ આત્મા સિવાયના સર્વ પદાર્થોથી ભિન્ન છે તેવું જ્ઞાન–બોધ તે ભેદશાન છે. આવું ભેદજ્ઞાન તે સમ્યક્ત્વનો આચાર છે. નીચેની ભૂમિકાએ સર્વથા ભિન્ન નથી રહી શકતો પરંતુ તે ત્રૂટિને તે જાણે છે. મોહાદિ વૃત્તિમાં કે સાંસારિક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું તે પોતાનું કાર્ય નથી તેમ સમજે છે. તે તે પ્રસંગોથી ભેદબુદ્ધિ કરીને સ્વરૂપ પ્રત્યે ટકવા પ્રયત્ન કરે છે.
મોહાધીન જીવો પરપદાર્થ સાથે એકતા સાધવા પ્રયત્ન કરે છે. તેઓ માને છે કે સ્વજનાદિનો અને મારો આત્મા એક છે. દેહ છૂટા ભલે હો પણ અમે એક છીએ. તેથી વિશેષ તો તેઓ દેહ અને આત્માને એક માને છે. ભેદશાની આવી પરિસ્થિતિમાં જાગૃત છે. તે જાણે છે કે આ સર્વ પૂર્વકર્મકૃત સંયોગો છે. હું કોઈનો થાઉં કે કોઈ મારા થાય તે શક્ય નથી. આ સર્વ રાગાદિનું પરિણામ છે. એમ વિચારી અંતરમાં જ્ઞાતાપણે રહે છે.
સુખદ સંયોગોમાં, દુઃખદ સંયોગોમાં જ્ઞાની મૂંઝાતા નથી, કારણ કે સંયોગોથી તેમનું ભેદજ્ઞાન વર્તે છે. ગાડીનાં ફરતાં પૈડાંની જેમ સુખદુઃખ કર્મની ધરી પર ચાલે છે. જેમ પૈડાંનો નીચેનો ભાગ ઉપર આવે છે, અને વળી ઉપરનો ભાગ નીચે જાય છે, તેમ સુખ અને દુઃખનો ચક્રાવો ચાલ્યા કરે છે. જ્ઞાની તે ચક્રાવા સાથે ચક્કર મારતા નથી, પણ ધરીની જેમ સ્થિર રહે છે, ચક્રાવાથી અલિપ્ત રહે છે. અર્થાત્ ભેદશાની બાહ્ય સર્વ અવસ્થાઓથી ભિન્ન છે. અને
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
G
www.jainelibrary.org