________________
તેમને અનુભવ છે. જેમણે આત્માને સર્વ દ્રવ્યથી અસંગ જોયો છે, સર્વ ક્ષેત્રથી ન્યારો જોયો છે, સર્વકાળથી અબાધિત જોયો છે અને ભાવથી તેઓ જ્ઞાતાદ્રષ્ટા છે. આવા સદ્ગુરુનો જો તને ભેટો થઈ જાય અને તું સદૈવ તેમને અર્પણ થાય તો તેઓ તને આત્મસ્વરૂપનું ભાન કરાવી શકે છે. તેમનો પોતાનો ઉપયોગ આત્મભાવમાં વર્તે છે. સર્વ પ્રકારે સર્વથી ભિન્ન જેમણે આત્માને જાણ્યો છે તે તારી વિવેકરૂપ પાત્રતા જોઈને તમે પણ આત્મ સ્વરૂપ હસ્તામલકવત્ બતાવશે.
આત્મસ્વરૂપના અનુભવની પ્રથમ ચાવી ભેદજ્ઞાન છે. દીર્ઘકાલીન પરસંગના અધ્યાસે જીવનું જગતના પૈદ્ગલિક પદાર્થો સાથે એકત્વ મમત્વ અને અહત્વ ઘણું દેઢ થઈ ગયું છે. તેનું ભાન થઈ તેનાથી ઉપયોગને મુક્ત રાખવો તે ભેદજ્ઞાન છે. આત્મા પોતાના જ્ઞાનસ્વરૂપ સાથે અભેદ છે. પરંતુ આત્મા સ્વસ્વરૂપે પરભાવથી સદાયે અસંગ છે. એ અસંગતાનો આંશિક અનુભવ ભેદજ્ઞાન દ્વારા થાય છે.
ચરમાવર્તમાં પ્રવેશેલો પાત્ર જીવ આત્મા સન્મુખ થાય છે ત્યારે તેના કર્મોનો ભાર ઘણો ઓછો થાય છે. હળુકર્મી બનેલો જીવ ભવિતવ્યતાના જોરે અધ્યવસાયની શુદ્ધિનો પ્રારંભ કરે છે, ત્યારે સ્વરૂપપ્રાપ્તિના પુરુષાર્થનો અપૂર્વ ઉલ્લાસ તેનામાં જાગે છે. તે સમયે તે આત્મા શુદ્ધ અધ્યવસાય દ્વારા પોતાના ઉપયોગને દેહભાવથી ન્યારો અનુભવે છે તે ભેદજ્ઞાન છે. એકવાર ભેદજ્ઞાનની ચાવી હાથ લાગી જતાં આત્માનું શ્રદ્ધાબળ વૃદ્ધિ પામે છે. તેનામાં હેય ઉપાદેય તત્ત્વનો વિવેક જાગૃત થાય છે. ઉપયોગ ક્યાંથી મુક્ત કરવો અને ક્યાં સંયુક્ત કરવો એ ભેદજ્ઞાનનું કાર્ય છે. ઉદયમાં આવતાં કર્મો અને તે કર્મના સંયોગોમાં એકત્વ ન કરતાં પોતાની શુદ્ધ અવસ્થા પ્રત્યે તેની દૃષ્ટિ વર્તે છે.
ભેદજ્ઞાન એ મુક્તિમાર્ગનું પ્રથમ અને બહુમૂલ્ય સાધન છે. ગમે તેવા શાસ્ત્રજ્ઞાનથી જે આત્માનુભૂતિ સંભવ નથી તે આ ભેદજ્ઞાન દ્વારા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રજ્ઞાન જીવ અને પુદ્ગલની ભિન્નતાનું જ્ઞાન આપે છે. જીવ અને કર્મોની સાંયોગિક અવસ્થા દર્શાવે છે. જીવ
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org