SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ છતાં આકાશ તો રંગરહિત છે. આકાશની શ્રેણિએ ઇન્દ્રાધાર વર્ષા થાય તો પણ આકાશ તો ભેજથી અસ્પર્શ જ રહે છે. આકાશ પદાર્થને જગા આપે છે પરંતુ તે પદાર્થમય થતું નથી. અંતર એ છે કે આકાશનું લક્ષણ, અજીવ છે તેથી તેમાં આ દૃશ્ય પ્રતિબિંબિત થતા નથી અને તેમાં કોઈ ભાવ પણ ઊઠતા નથી. આત્મા ભલે અનાદિકાળથી પુદ્ગલ સંયોગે રહ્યો પરંતુ સદાય ન્યારો જ રહે છે. તેની સત્તામાં પુદ્ગલના વર્ણાદિ ગુણો એક પ્રદેશે પણ પ્રવેશ કરી શક્યા નથી. પુદ્ગલ સંયોગમાં છતાં સ્વરૂપે અસ્પર્શ રહ્યો છે. તો પછી આ તમાસો કેમ થયો છે ! ભાઈ ! આત્મા ચૈતન્યજ્ઞાનસ્વરૂપ છે. તેના જ્ઞાનમાં જગતના પૌદ્ગલિક તમામ પદાર્થો પ્રતિબિંબિત થાય ત્યારે તેને જાણે, અજ્ઞાનવશ પુદ્ગલના સંયોગથી તેનામાં એક સંસ્કાર પડ્યો છે કે જ્ઞાનમાં જેનું પ્રતિબિંબ પડે તેનો વિકલ્પ ઊઠે. તે વિકલ્પમાં રાગાદિ ભાવ ભળે અને જીવની અવસ્થા તે તે પુદ્ગલના સંયોગે પુદ્ગલ જેવી જણાય છે, ત્યારે જીવને એમ લાગે છે કે આ પુદ્ગલ સ્વરૂપ હું જ છું. પરંતુ ભાઈ ! તું ગમે તેમ માને કે દેહ તે જ હું છું પરંતુ આત્માનું સ્વરૂપ જ એવું છે કે તે પૌદ્ગલિક પદાર્થોને સ્પર્શતો પણ નથી. તે ફક્ત જ્ઞાનસ્વરૂપ હોવાથી પદાર્થોને જાણે છે. જો તને આ વાત સમજાતી ન હોય તો ગુરુ ગમે આત્મસ્વરૂપને જાણ અને ભેદજ્ઞાન દ્વારા અનુભવ કર કે આ ચૈતન્યસ્વરૂપ આત્મા સર્વ અવસ્થાઓમાં સર્વ પદાર્થોથી ન્યારો છે. તે સમજવા માટે સદૈવ ગુરુકૃપા મેળવવી પડશે. અનાદિનો પરસંગનો અધ્યાસ જીવને અસંગતતામાં ટકવા દેતો નથી. તેને માટે સદ્ગુરુનો બોધ જરૂરી છે. ગુરુગમથી જ્યારે જીવને ભેદજ્ઞાન થાય છે ત્યારે તે અસ્પૃષ્ટ અબદ્ધ તેવા આત્માનો અનુભવ કરે છે. તે સદ્ગુરુ છે કે જેમનામાં સત્નો રંગ અને સંગ ક્યારેય ભંગ થતા નથી. તે સદ્ગુરુ મુક્ત થવાનો ઉપાય જાણે છે. તેનો પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only to www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy