________________
સ્થાને ગમે અને બીજા સ્થાને ન ગમે. પુદ્ગલની કરામત જ એ છે કે તે ગમો અણગમો પેદા કરે. એટલે જ્યારે તને ધોળો કે પીળો રંગ ગમે ત્યારે તું જાણે પોતે જ તે રંગ – વર્ણમય બની જાય છે. પણ ચેતન અરૂપી છે તેને વર્ણ રંગ હોતો નથી.
સુરભિગંધત દુરગંધતા બે, પુલહુંમે હોય; પુદ્ગલકા પરસંગ વિના તે, જીવમાંહે નવિ હોય. ૫ પુદ્ગલ તીખા કડવા પુદ્ગલ, યુનિ કસાયેલ કહીયે, ખાટા મીઠા પુદ્ગલકેરા, રસ પાંચ સદંહીયે.
૬ શીત ઉષ્ણ અરૂ કાઠા કોમલ, હલુવા ભારી સોય; ચિકણા રૂખા આઠ ફરસ એ, પુદ્ગલમે હોય. ૭
પુદ્ગલ જેમ વર્ણવાળું છે તેમ ગંધવાળું છે. કોઈ પણ પૌગલિક પદાર્થમાં અલ્પાધિકપણે સુગંધ હોય કાં દુર્ગધ હોય. પુદ્ગલ સંગથી પુષ્પ સુગંધવાળું કહેવાય છે કે વિષ્ટા દુર્ગધવાળી કહેવાય છે. પરંતુ પુષ્પાદિકનો જીવ તેથી કંઈ સુગંધ કે દુર્ગંધવાળો બનતો નથી.
વળી પુદ્ગલ જેમ સુગંધવાળું છે તેમ તીખા કડવા, તૂરા, ખાટા, અને મીઠા એમ પાંચ રસવાળું છે. રસેન્દ્રિય દ્વારા આત્મપ્રદેશના ઉપયોગમાં રસનો સ્વાદ જણાય છે, એટલે આત્મા એમ માને છે કે આત્મામાં કડવો કે મીઠો રસ છે. આત્મામાં જાણવાની જ્ઞાન શક્તિ હોવાથી તે પુદ્ગલના વર્ણાદિ જાણે છે પરંતુ તે લક્ષણયુક્ત થતો નથી.
વળી પુગલ સંયોગે સ્પર્શ વડે આત્મા જ્ઞાનસ્વરૂપ હોવાથી તેના ઉપયોગમાં પુદ્ગલનો શીત-ઉષ્ણ, કઠોર-કોમળ, હલકો-ભારે, ચીકણો કે લૂખો સ્પર્શ અનુભવે છે. પરંતુ આત્મા કંઈ શીત ઉષ્ણાદિ રૂપે થતો નથી. અરૂપી એવા આત્મામાં સ્પર્શનો ગુણ નહિ હોવાથી તે સ્પર્શનો અનુભવ કરે છે પણ સ્પર્શરૂપે થતો નથી.
પુદ્ગલથી ન્યારા સદા જે, જાણ અફરસી જીવ; તાકા અનુભવ ભેદજ્ઞાનથી, ગુરુ ગમ કરો સદીવ. જેમ આકાશમાં ગમે તેવા મેઘધનુષ્યના રંગનું ચિતરામણ થાય
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org