SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ગળપણ ગમે છે, કડવાશ ગમતી નથી. તમને સુગંધ ગમે છે, દુર્ગધ ગમતી નથી. તમને પીળો વર્ણ ગમે છે લાલ વર્ણ ગમતો નથી. વાળ કાળા ગમે, ત્વચા કાળી ગમતી નથી. અરે ઘરમાં રાખેલા પદાર્થોમાં પણ ગમો-અણગમો હોય છે. વ્યક્તિઓમાં ગમો-અણગમો હોય છે. પ્રસંગોમાં ગમો-અણગો હોય છે. આમ નિરંતર તારું મન ગમાં અને અણગમામાં રાગ અને દ્વેષમાં પ્રવૃત્ત છે. તેના પરિણામની તને ખબર નથી તેથી તું બે ફિકર થઈને ફરે છે. જાણે કે રાગ અને દ્વેષ એ જ તારો સ્વભાવ હોય ! ભાઈ ! એ તારો સ્વભાવ નથી, વિભાવ છે. તેથી કર્મ તને ગળેથી પકડે છે. રાગદ્વેષનાં પરિણામ એ અશુભ ભાવ છે. જેનાથી અશુભકર્મ બંધાય છે તે દુ:ખનું કારણ છે. રાગ ને રીસા દોય ખવીસા (શત્રુ) એ તુમ દુ:ખના દીસા, જબ તુમ ઉનક દૂર કરીસા, તમ તુમ શિવકા ઇસા. રાગ અને દ્વેષ તારા આત્માના ભાવ નથી. આત્મભાવથી વિરુદ્ધ અર્થાત્ તારા ઘરમાં રહીને જ તને દુઃખ આપનારા છે. રાગની મીઠાશ હોય તો ક્ષણિક છે. રાગ પરિસ્થિતિ પલટાતાં દ્વેષમાં પરિણમે છે. સુંદર દેખાતી ખીચડીમાં જો કાંકરો આવ્યો તો પૂરા કોળિયા પર અણગમો થાય છે. ઉનાળામાં મીઠું લાગતું ઠંડું વાતાવરણ શિયાળામાં અણગમતું થાય છે. અરે, બીમારી અસાધ્ય થતાં દેહ અણગમતો થાય છે. પુત્રાદિ પરિવારમાં પ્રતિકૂળતા થતાં સ્નેહ વેરમાં પરિણમે છે. રાગદ્વેષના રાજ્યમાં તું ક્યાંય સુખ પામી શકે તેમ નથી. જે તથ્ય જ દુઃખદાયી છે ત્યાં સુખની આશા કેવી રીતે રખાય ? જે મહાત્માઓએ આ બંને શત્રુઓને મહાત કર્યા. તેઓએ આત્મસુખનો અનુભવ કર્યો. જિનવાણી દ્વારા તેઓએ બોધ ગ્રહણ કર્યો, અને રાગદ્વેષનું પરિણામ જાણ્યું કે સંસારના પરિભ્રમણનું કારણ આ રાગદ્વેષ છે. ઘરમાં પેસી લૂંટી લેનારા છે. તેનો સંગ્રહ કરવા જેવો નથી. આથી રાગદ્વેષનાં પણ જે કારણો હતાં તે વિષયોનો છંદ, અને કષાયોની જાળ તેમણે તોડી નાંખી. આત્માને બાધા ૧પ૦ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy