________________
કરનારા રાગાદિ દૂર થતાં મહાત્માઓએ નિર્ભેળ સ્વરૂપનો અનુભવ કર્યો. રાગદ્વેષ રહિત પરિણતિ કેવળ સુખરૂપ જાણીને નિર્દોષ પરિણતિમાં તેઓએ આનંદનો સ્ત્રોત અનુભવ્યો. સ્વરૂપદર્શનની આડે જે વિઘ્નો હતાં તે ટળી જતાં સ્વયં જીવ શવરૂપે પ્રગટ થયો.
રાગદ્વેષ એ નિજગુણ નથી કે ટાળ્યા ન ટળે. અજ્ઞાન અવસ્થામાં આત્માએ કરેલા દોષો છે. જ્ઞાનગુણ પ્રગટ થતાં તે દોષો દૂર થઈ જાય છે. આત્મા સ્વસંવેદ્ય છે. નિજના અનુભવવાળો છે. જ્ઞાનગુણ દ્વારા તે સ્વ-પરપ્રકાશિત છે પરંતુ આંખ આડે કોઈ નુણ આવે અને ડુંગર દેખાય નહિ તેમ આ રાગાદિના દોષો આડે આવવાથી આત્માનું વેદન પરમાં આવરાઈ જાય છે. તૃણ ખસી જતાં જેમ ડુંગર દેખાય છે તેમ આ દોષો ટળી જતાં આત્માનું સંવેદન થાય છે. આત્માના અનુભવનો અનુપમ રસ તે પામે છે.
પુગલ સંગ વિના ચેતનર્મ, કર્મકલંક ન કોય, જિમ વાયુસંયોગ વિના જલ, માંહી તરંગ ન હોય. ૯૯
પુદ્ગલના પિંજરમાંથી ચેતન જો છુટકારો પામે તો તેને કર્મનું કલંક ટળી જાય. કારણ કે કર્મ એ જડ તત્ત્વ છે. તે સાંયોગિક પદાર્થ છે. સંયોગની અવસ્થા સમયથી મર્યાદિત છે. સ્વભાવની જેમ તેનું ઐક્ય નથી. આત્મા સ્વભાવે નિષ્કલંક, નિરંજન છે. પરંતુ ભવિતવ્યતાના યોગે અજ્ઞાનવશ જે જે પરભાવો કર્યા તેથી કર્મનું કલંક તેને શિરે ચોંટ્યું છે. જે સમયે પુદ્ગલનો સંગ છૂટે તે જ સમયે કર્મથી તે મુક્ત થવા માંડે. આત્મપ્રદેશે ચોટેલી કમરજો કષાયના કારણથી છે. જો કષાયભાવની ચિકાશ ન હોય તો કર્મ ચોંટીને રહી શકતા નથી. વળી કષાય થવાનું કારણ પુદ્ગલના નિર્જીવ પદાર્થો છે. અથવા દેહભાવ છે. દેહભાવ છૂટે કર્મપણું ટળે છે.
જેમ દરિયાનું પેટાળ સ્થિર હોવા છતાં વાયુના સંયોગથી પાણીમાં તરંગ-મોજાં ઊઠે છે. જો વાયુનો ધક્કો ન લાગે તો પાણી સ્થિર રહે છે. તળાવનાં સ્થિર જળ એક કાંકરી પડતાં તરંગમય બની જાય છે. શીતલ પાણી કે લોઢું અગ્નિના સ્પર્શથી ગરમ થાય છે, તેમ સ્વભાવે નિષ્કલંક આત્મા કર્મપુગલના સંયોગે વિચિત્ર અભિનય
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org