________________
છું. જ્યાં સુધી હું દેહ છું તેવું ભાન રહેશે ત્યાં સુધી જન્મ-મરણનું ચક્ર પણ ચાલુ રહેશે. નિત્યને અનિત્ય માનવાનો ભ્રમ છૂટે તે સમયે તું મુક્ત છું. સ્વ-પરનો ભેદનો વિવેક જ જીવને બંધનમુક્ત કરે
કર્મબંધના હેતુ જીવકું રાગ-દ્વેષ જિન ભાખે તજી રાગ અરૂ રોષ હિયેથી, અનુભવરસ કોઉ ચાખે. ૯૮
જીવને કર્મબંધનાં મુખ્ય કારણો રાગ-દ્વેષ છે. જે મોહનીયકર્મની પ્રકૃતિ છે. રાગ-દ્વેષનો વિસ્તાર એ ચારિત્ર મોહનીય છે. કોઈ પણ નિમિત્ત કે પદાર્થના સંયોગમાં જીવને ગમવું અને ન ગમવું એ સંસ્કાર ઘણો રૂઢ અને દઢ હોય છે. તેથી તે તે નિમિત્તમાં તેને જે ગમો-અણગમો થાય છે તે રાગ-દ્વેષ છે. દરેક જીવનો અનુભવ છે કે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં જીવને ગમો-અણગમો થયા કરે છે, તે રાગદ્વેષ છે, વ્યક્તિઓના સંબંધમાં ભાવઅભાવ થાય છે તે રાગદ્વેષ છે, સંયોગોને આધીન પ્રીતિઅપ્રીતિ થાય છે તે રાગદ્વેષ છે, જે જીવને કર્મની સાંકળથી બંધાવે છે.
આ રાગદ્વેષનો વળી વિસ્તાર છે. રાગ = મોહ, માયા, મમતા, પ્રીતિ, સ્નેહ, રતિ. દ્વેષ = ઈર્ષા, આવેશ, આક્રોશ, રીસ, અપ્રીતિ, અરતિ.
જીવને કર્મબંધનાં આ મુખ્ય બે કારણો સાથે તેમાં ભળતા બીજા ઘણા દોષો છે. વિભાવજનિત સર્વ દોષોની ફાળવણી કરો તો તે રાગ અને દ્વેષમાં સમાઈ જાય. તેમાં વળી દ્વેષ કરતા જીવને રાગની મીઠાશમાં કંઈ અજુગતુ જણાતું નથી. સામાન્ય જીવ માને છે કે દ્વેષ કરવો ખોટો છે. પણ રાગ કરવો એ તો અન્યોન્ય સંબંધમાં જરૂરી છે. રાગ વગર પતિભાવ, પિતાભાવ, પુત્રભાવ વગેરે કેવી રીતે ટકે ? જીવ જાણતો નથી કે રાગ અને દ્વેષ બંને પક્ષીની બે પાંખ જેવા સંલગ્ન છે. એકની મુખ્યતા હોય ત્યારે બીજાની ગૌણતા હોય છે એટલું જ.
જેમકે તમને સુંવાળો સ્પર્શ ગમે છે, કઠણ ગમતો નથી. તમને
પુગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
૧૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org