________________
અને ચૈતન્ય, મોહ અને વૈરાગ્ય, આવો ગોટાળો ઉકેલવાનો ઉપાય વિવેક છે. આ બે પદાર્થો એકમેક જેવા જણાય છે તેને જુદા પાડવાનું કાર્ય વિવેક કરે છે. એવા વિવેકને જે ધારણ કરે છે તે સંસારથી મુક્તિ પામે છે.
સદ્દગુરુબોધે વિવેક પ્રાપ્ત થતાં જીવમાં જ્ઞાનદષ્ટિ આવે છે, ત્યારે તે સ્વભાવ સન્મુખ થઈ જુએ છે. આત્માનો સ્વભાવ અભેદપણે હતો પરંતુ તેનું ભાન થતાં દીનતા ટળી જાય છે. અને આત્મા સ્વરૂપનો સ્વામી થાય છે. શરીરની શાતામાં, બહારના સુખમાં, માનાદિની મીઠાશમાં એકરૂપે થયેલો જ્યારે તેનાથી સ્વભાવની ભિન્નતાને જાણતો થયો કે દૃષ્ટિ જ પરિવર્તન પામે છે. જ્ઞાનસ્વરૂપનું મૂલ્ય તેને સમજાય છે. જેમ મૂર્ણ ભરવાડ હીરો બકરીની ડોકે વળગાડે તેમ અજ્ઞાની પોતાના સ્વરૂપને ન જાણતાં વિષયને ડોકે વળગાડે છે. પરંતુ જ્ઞાની તો ચૈતન્યસ્વરૂપને જાણી તેની જ દિવ્યાને અનુભવે
ગર્ભાદિકદુઃખ વાર અનંતી, પુદ્ગલસંગે પાયે, પુદ્ગલસંગ નિવાર, પલકમેં અજરામર કહેવાય. હે સુજ્ઞ! પુદ્ગલના સંગથી તું શું પામ્યો?
તને ખબર ન હોય તો જ્ઞાનીના વચનથી વિચારી જો, કે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધી તે અનંતી વાર જન્મ લીધા. ગર્ભાવાસનું દુઃખ તો તે વિચાર્યું નહિ હોય. પશુ કે મનુષ્યની સ્ત્રીયોનિમાં અશુભ પદાર્થોમાં પડ્યો રહ્યો. ત્યાં તેં શું ખાધું, શું પીધું તેની કલ્પના કરે તોપણ તને વૈરાગ્ય આવે. જે પદાર્થો તને જોવા, સુંઘવા ન ગમે તેવા પદાર્થોમાં તું રહ્યો. એ જ પદાર્થોના રસ ખાઈને ગર્ભમાં જીવ્યો. ઊંધે માથે રહ્યો. જન્મ પછી તને કોઈ એક બે કલાક ઊંધે માથે રાખે તો તું જીવી ન શકે, તને ચક્કર આવી જાય અને ગર્ભમાં તું નવ માસ ઊંધે માથે રહ્યો. ગર્ભમાં એવી વેદના ભોગવી કે જન્મ થયો ત્યારે રડી ઊઠ્યો.
જન્મ પછી પણ મળમૂત્રમાં પડી રહેવું પડ્યું. પરાધીન દશામાં
૧૪૬
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org