SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ બાળપણ વીત્યું. પુદ્ગલના સંગથી રોગ, જ્વર, ઓળી, બળિયા જેવાં દર્દો સહન કર્યા. પુદ્ગલનું પોષણ કરવામાં રાત-દિવસ શ્રમ કર્યો. અંતે શું પામ્યો ? પુદ્ગલની માયા છોડી, તેને ત્યજી વળી નવા પુદ્ગલની રચના કરવાની. આવું અનંતવાર બન્યું, તેમાં તને શું મળ્યું ? જ્ઞાનીજનો કહે છે કે તે અનંતવાર દેહને અર્થે આત્માને પ્રપંચમાં મૂક્યો છે. એક વાર આ આત્માને અર્થે દેહના સુખની કલ્પના છોડી દે, પૌદ્ગલિક પદાર્થોની પરાધીનતાને છોડતો જા, તે તે પદાર્થોનો સંક્ષેપ કરતો જા. ચારે બાજુ પુદ્ગલ જ પુદ્ગલ. માથે મુગટ હો કે બેઠકમાં સિંહાસન હો. મજાની સુખશયા હો, મહેલ હો, હવાઈદળ હો કે પાયદળ હો. ભાંગેલો ઘડો હો, પુરાણું પાત્ર હો. તું જે કંઈ ગ્રહણ કરે છે. કરતો રહ્યો છે તે સર્વે પુદ્ગલ જ પુદ્ગલ. આવા પુદ્ગલનું ક્ષણિક સ્વરૂપ જાણીને, તેમાં સુખનો ભ્રમ છે તેવો બોધ પામીને મહાત્માઓ વિપુલ સામગ્રી, અનેક પ્રકારની સમૃદ્ધિને ત્યજીને ચાલી નીકળ્યા. તેઓ શું પામ્યા ? જેવો પુદ્ગલ સંગ છૂટ્યો કે આત્મા સ્વાધીન બન્યો. ક્રમે કરીને સ્વભાવની શુદ્ધતાને કારણે પુદ્ગલજનિત કર્મથી મુક્ત થયો. કર્મથી મુક્ત થવા સાથે જન્મ-મરણથી મુક્ત થયો. પુદ્ગલસંગ છૂટી જતાં જીવ સ્વયં સ્વભાવરૂપ અજર-અમરપદને પ્રાપ્ત કરી પોતે અજર-અમર કહેવાયો. રાગભાવ ધારત પુદ્ગલથી, જે અવિવેકી જીવ, પાય વિવેક રાગ તજી ચેતન, બંધણ વિગત સદીવ. ૯૭ દેહાદિથી જેણે રાગને ધારણ કર્યો છે, તે જીવ જાણે પોતે જ રાગમય બને છે. રાગ અને દ્વેષ દુઃખદાયક પરિણામ છે. વળી તે આત્મસ્વભાવના પ્રતિપક્ષી છે તેને ધારણ કરનાર જીવ વિવેકહીન છે. જેને સેવવાથી દુઃખ થાય તેને વિવેકી માનવ સંગ્રહ ન કરે. એક બાળક પણ એક વાર અગ્નિસ્પર્શથી દાઝે છે તો પુનઃ અગ્નિનો પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૪o Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy