________________
ભાઈ ! સ્વ એટલે સ્વભાવ, સ્વરૂપ, શુદ્ધતા. આવા અનેક ગુણોથી ભરેલું પૂર્ણ દ્રવ્ય તે તારું સ્વપણું છે. તેને કોઈ પરપદાર્થ છોડાવી ન શકે. તારા આત્માનું આવું સ્વાતંત્ર્ય કોઈ વિકલ્પથી તૂટે તેવું નથી. જડ કર્મ તેને આચ્છાદિત કરી ન શકે. રણે ચઢેલો યોદ્ધો ધડ પડે પણ પરાક્રમ ન છોડે તેમ સ્વભાવ પરના સંયોગમાં આવે તો પણ પોતાનો સ્વભાવ ન છોડે. આ સ્વભાવના પરાક્રમે તો દર્શનમોહ જેવા યોદ્ધાઓ પણ ભાગી છૂટે. સંસારના ઉદયમાં પણ આ સ્વભાવ તો ઝળકતો જ રહે છે. તે અંધકારથી આવરાતો નથી.
જ્ઞાનદષ્ટિ જ્યોતિર્મય છે. તે પરને જાણે પણ ભળે નહિ. રાગને જાણે પણ રાગમય થાય નહિ. રાગના ઉદયમાં સુખ માને નહિ. જ્ઞાનદષ્ટિનું કાર્ય જીવન પરથી ભિન્ન રાખવાનું છે. સર્વ અવસ્થાઓના પરિણમનમાં પણ જીવ તો ન્યારો હોય છે. કંચુકી ત્યજી દીધા પછી સર્પ પાછું વાળીને જોતો નથી કે તે કંચુકી મારા શરીરનું અંગ છે, તેમ જ્ઞાનદષ્ટિ વડે જોતાં જીવ કાયાની માયાને ત્યજી દીધા પછી પુનઃ તેના સુખનો વિચાર કરતો નથી. વાસ્તવમાં જ્ઞાનદષ્ટિ એ જ વિવેક છે. જડ અને ચૈતન્યની સુપ્રતીતિ તે વિવેક છે. સ્વ અને પરના લક્ષણથી ભેદ સમજી સ્વભાવમાં રહે તે જ્ઞાની છે.
સ્વ-પરનો ભેદ સમજી, જે સ્વરૂપની પ્રત્યે જેની દૃષ્ટિ થાય છે તે સ્વરૂપ સ્વયં આકર્ષી લે છે. ઊઠતાં, બેસતાં, જાગતાં સૂતાં તેને સ્વરૂપ દૃષ્ટિ આકર્ષી લે છે. સ્વરૂપના ભોગે તેને આ જગતના કોઈ સુખભોગ ખપતા નથી. સૃષ્ટિ સુવર્ણમય થઈને તેનાં ચરણ ચૂમે તોપણ સ્વરૂપને ગુમાવીને તેને તે ખપતી નથી. માનવચેતનાની સાર્થકતા તેને સમજાય છે કે આત્માને પરમાત્મરૂપે પ્રગટ થવાનું છે. તે માટે અહમ્ કે મમત્વના કુંડાળાને તોડીને તે વિવેકને ધારણ કરે છે. ત્યારે તેની જ્ઞાન દેષ્ટિ દ્વારા તે દર્શનમોહના યોદ્ધાને નસાડી દે છે.
વિવેક દ્વારા તેને સ્વ-પરનો નિર્ણય થાય છે. નિત્યાનિત્ય, શુદ્ધાશુદ્ધનો કે સત્-અસત્નો વિવેક પૌદ્ગલિક પદાર્થોથી જીવને ભિન્ન જાણે છે. વિરુદ્ધ પ્રકૃતિનો યોગ થયો છે. શરીર અને આત્મા, જડ
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ.
૧૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org