________________
ભાંગે નહિ. અર્થાત્ પ્રતિજ્ઞાનો ધર્મરૂપે સ્વીકાર કર્યા પછી તેના પાલન માટે કટિબદ્ધ રહેવું. કારણ કે મન એવું ચપળ અને ચાલાક છે કે તમને કેવાંય કારણો આપીને છેતરી લે છે.
માટે પ્રભુના તત્ત્વબોધ-વચનોને અનુસરીને શ્રદ્ધાપૂર્વક પ્રતિજ્ઞાનું પાલન કરવું. પ્રતિજ્ઞા ગુરુજનોની સમક્ષ લેવી જેથી તેમનું યોગબળ પણ સાધકને ટકવામાં સહાયક બને. મનથી કલ્પના કે સંકલ્પ કરે અને કોઈ લાલચ કે અંતરાયવશ મન નબળું પડે ત્યારે ગુરુવચનની શ્રદ્ધા જીવને ટકાવી દે છે. નિયમ, સંયમ કે પ્રતિજ્ઞા વગરનું જીવન સ્વતંત્ર નથી, એ સ્વતંત્રતા ઠગારી છે, અને પોષનારી છે. પ્રતિજ્ઞાનું પારતંત્ર પણ આત્મહિતવાળું છે. વૃત્તિઓની સ્વતંત્રતામાં વિષ છે. પ્રતિજ્ઞાની પરતંત્રતામાં પણ અમૃત છે. આવા વચનબળને વળગીને જીવનને સંયમમાર્ગે દોરવું.
ઈમ વિવેક હિદેિમેં ધારી, સ્વપરભાવ વિચારો કાયા જીવ જ્ઞાનદંગ દેખત, અહિકંચુકી જિન ન્યારો. ૯૫
શુદ્ધ વચન અનુસાર જીવમાં જો વિવેકનું સત્ત્વ પ્રગટે છે તો ભવ તરી જવાનું સરળ બને છે. એ વિવેકનો મર્મ છે સ્વ અને પરનો યથાર્થ પરિચય. કાયા અને જીવ એકક્ષેત્રમાં હોવાથી એકરૂપે જણાય છે. પરંતુ શાનદષ્ટિ વડે જોતાં સાપ અને કંચુકી જેવા ભિન્ન છે તે સમજાય છે.
આત્મા પરથી તદ્દન સ્વતંત્ર હોવા છતાં જીવે વિષયોનું પાતંત્ર સ્વીકાર્યું. બાહ્ય નિમિત્તોમાં મુગ્ધ બની પરાધીન બન્યો. મને આ પૌદ્ગલિક પદાર્થો વગર કેમ ચાલે તેમ માનીને તે પદાર્થોને વળગી જ રહ્યો. રાગાદિ ભાવ મારા છે તેમ માની તેનું નિરંતર સેવન કરતો રહ્યો. એક ક્ષણમાં કેવળજ્ઞાન પ્રગટ કરે એવો આ ચૈતન્ય ચક્રવર્તી કષાયોથી રંજિત થઈ ગયો. કાચના ટુકડાને હીરો માની કોટે વળગાડી દીધો. પરવૃત્તિ અને પરભાવમાં પોતાપણાનો આરોપ કરી સ્વ-પરનો ભેદ ભૂલી ગયો. કર્મના સંયોગોને જીવન માની તેમાં જ ગૂંચાઈ ગયો. શું કરું આ કર્મ મને છોડતાં નથી.
૧૪
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International