________________
ભાવના રાખવી.
૮. નિશ્ચયદયા : પોતાના શુદ્ધ સ્વરૂપમાં લીનતા, સમતાયુક્ત પરિણામ. જ્ઞાનસ્વરૂપમાં અભેદ ઉપયોગ સ્વભાવ રમણતા એ નિશ્ચય દયા છે.
આ આઠ પ્રકારે દયાધર્મને પાળીને જે ધર્મના મર્મને જાણે છે તેનું આત્મકલ્યાણ અવશ્ય થાય છે. જેને આત્મસિદ્ધિને પ્રાપ્ત કરવી છે તેણે દયારૂપ ધર્મનું પાલન કરવું જરૂરી છે.
ધન્ય ધન્ય જગમાં તે પ્રાણી, જેહ પ્રતિજ્ઞા ધારે, પ્રાણ જાય પણ ધર્મ ન મૂકે, શુદ્ધ વચન અનુસારે. ૯૪
ધન્યતા અર્થાત્ ભવ્યતા. ભવ્ય પ્રાણીની ભવ્યતા જ અનેરી છે. એવો ભવ્યાત્મા પ્રભુવચનનો અનુગામી છે. જીવનને પ્રતિજ્ઞાની પાળે - બાંધીને મુક્તિની યુક્તિને યોજે છે. પ્રતિજ્ઞા વડે બંધાતું મન વાસ્તવિકપણે મુક્તિ પ્રત્યે જાય છે. પ્રતિજ્ઞા વગરનું સ્વચ્છંદી મન બ્રેક વગરના વાહન જેવું છે. સુંદર ગાડી હોય પણ બ્રેક વગરની હોય તો પરિણામ ભયંકર આવે છે. તેમ જીવનનું વાહન મન છે. તે જો પ્રતિજ્ઞાબદ્ધ ન હોય તો દુર્ગતિ જેવાં ભયંકર પરિણામ સર્જ
વિષયોની લોલુપતાનો છંદ, કષાયયુક્ત પરિણામનો આવેગ, સંજ્ઞાબળનું અજ્ઞાન, અવ્રતના જેવો દુર્ભાવ, આ સર્વે મનની સ્વચ્છંદતા છે, તેના વડે જીવ દંડાય છે. અધોગતિ પામે છે. માટે સદ્ગુરુયોગે પ્રતિજ્ઞા વડે મનને સંયમમાં રાખવું. સંયમિત મન સાચા સુખનો ભોમિયો બને છે.
શ્રાવકાચારના બાર પ્રકાર, તપના બાર પ્રકાર. સંવના ભેદ પ્રતિજ્ઞા માટેનાં સાધનો છે. યથાશક્તિ વ્રતાદિ ગ્રહણ કર્યા પછી સંકટ આવે પણ પ્રતિજ્ઞા ન તોડે. સંકટ આવે સત્ય ન છૂટે, પોતાના સુખ ખાતર અન્યનાં પ્રાણ કે ધન ન હરે. મનના આવેશને વશ થઈ બ્રહ્મચર્ય જેવી પ્રતિજ્ઞાને ત્યજી ન દે. ધનની મૂચ્છને વશ થઈ નિરર્થક સંગ્રહ ન કરે. તપ જેવા અનુષ્ઠાનમાં દેહાધ્યાસથી પચ્ચખાણને
પુલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org