________________
અને પુદ્ગલનો અનાદિનો સંયોગ છે. એ સંયોગે જીવે પૂરો સંસાર રચ્યો છે. પુદ્ગલનો સંયોગ જ્યારે આત્યંતિકપણે વિયોગરૂપે પરિણમશે ત્યારે આત્મા શુદ્ધ સોનાની જેમ સિદ્ધ રૂપે પ્રગટ થશે. માટે પુદ્ગલ અને જીવ બંને ભિન્ન તત્ત્વ છે, તેનો ભેદ સમજી આત્માની ઉપાસના કરવી.
આથી જ્ઞાનીઓએ દેહાદિક દૃશ્ય જગતને વિસ્તૃત કરી, તેને અદશ્ય કરી દીધું, નિર્વાણ પામ્યા. અને જે અદશ્ય તત્ત્વ સત્તામાં રહ્યું હતું તેને દેશ્ય કર્યું. સિદ્ધપણે પ્રગટ કર્યું.
જ્યાં સુધી જીવને જડ – પુદ્ગલ, વર્ણાદિ, દેહાદિકનું દે દશ્યમાન વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ કે ભેદ ન સમજાય અને જ્ઞાનસ્વરૂપ આત્માનું સામર્થ્ય કળવામાં ન આવે ત્યાં સુધી જીવ, પુદ્ગલની અનેક લીલાઓથી પ્રભાવિત થાય છે. અને તેને ચારે ગતિના ચક્કર લગાવવા પડે
આત્માની સત્તા અનાહારક છે. પરંતુ પુદ્ગલ સંયોગે દેહાદિકમાં સુખની કલ્પના કરીને જીવ પુદ્ગલ દ્વારા પુદ્ગલ માટે પુદ્ગલને ખવરાવવા, પિવરાવવાની ચેષ્ટા કરે છે. અરે ! જીવને મળેલું પૂરું શરીર અને તેની સર્વ ક્રિયા પુદ્ગલરૂપ છે.
અરે ! જીવ તું વિચાર તો કર કે જે પુદ્ગલને તું તારું માને છે, તે પુદ્ગલના લક્ષણ વર્ણાદિક તે આત્માના એક પણ પ્રદેશ છે કે નહીં ? પ્રગટ લક્ષણથી તને આ ભેદ જણાય તેવો છે. પુદ્ગલ માત્ર વર્ણાદિરૂપવાળું છે. તેમાં કોઈ ને કોઈ રસ છે. ગંધ છે અને સ્પર્શ – કાયારૂપે છે.
હવે તું આત્માનો વિચાર કર કે આત્માનો રંગ કેવો ! સ્પર્શ કેવો ! તેની ગંધ કેવી આવે ! તેમાં મીઠાશ-કડવાશ કેવી હોય ! આત્મા નથી રંગવાળો, નથી ગંધવાળો, નથી સ્પર્શવાળો કે નથી કડવાશ કે મીઠાશવાળો, ભલે તે અરૂપી છે પરંતુ તેનાં લક્ષણ તો પ્રગટ-સાક્ષાત છે કે જ્ઞાનસ્વરૂપ છે.
જીવ – આત્મા ચૈતન્યસ્વરૂપ છે. જાણવું તે તેનું લક્ષણ છે.
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org