________________
વાત છે ? પાંચ જ છે ને ! ના, ભાઈ ઉપરના આંકડા જોજે અને વિચારજે કે આ લશ્કર કેટલું લાંબું છે ?
ટૂંકમાં સમજવું હોય તો જેટલી તૃષ્ણા તેટલી પુદ્ગલની માયા. તૃષ્ણા અનંત, માયા પણ અનંત. તૃષ્ણા દુસ્તર, માયા દુસ્તર. તૃષ્ણા દૂત, માયા દુરંત.
આશ્ચર્ય ! આ જીવ એક અને પુદ્ગલના ખેલ અનેક. બંનેની જાણે હોડ ચાલી હોય તેમ દરેક જન્મે પૂર્વે છોડેલા એ જ પુદ્ગલોને ગ્રહણ કરવા, અને છતાં નવા છે તેમ માનીને તેમાં જ રાચવું. પુદ્ગલ એ જ જાણે જીવનું સ્વરૂપ છે તેમ માની જીવ પુદ્ગલમય બનીને તેના દ્વારા અંશતઃ કાલ્પનિક સુખ અને મહદ્ અંશે તો દુઃખ જ ભોગવે છે.
ખાન પાન પુલ બનાવે, નહીં પુગલ વિણ કાય; વર્ણાદિક નહીં જીવમે બે, દીનો ભેદ બતાય.
પુદ્ગલ પુદ = ભરાવું – ભેગું થવું. ગલ = ગળવું – સડવું.
આખું વિશ્વ આ પુદ્ગલના પરમાણુથી ઠાંસી ઠાંસીને ભર્યું છે. એક તલના સહસ્ત્રાંશ જેટલી પણ જગાનો અવકાશ નથી કે જ્યાં આ પુદ્ગલનું અસ્તિત્વ ન હોય. છતાં તેનું લક્ષણ તો ક્યાં ભેગા થવું અને ક્યાં વિખરાઈ જવું તે છે. પુદ્ગલ અત્યંત પરિવર્તનશીલ અર્થાત્ વિનશ્વર છે. છતાં સમગ્ર સૃષ્ટિ આ પુદ્ગલના નાટકનું રંગમંચ છે. પુદ્ગલનું સૂક્ષ્મ અને મૂળ સ્વરૂપ પરમાણું છે.
વર્ણ, ગંધ, રસ, સ્પર્શદિના વિવિધ આકર્ષણોથી આ પુગલે જીવોને પ્રભાવિત કર્યા છે, જાણે કે જીવને જીવ વગર ચાલે, પણ પુગલ વગર ન ચાલે ! પુદ્ગલ એ રૂપી - દશ્યમાન પદાર્થ છે. પુદ્ગલ દેશ્ય અને જીવ અદશ્ય છે. ઉભયની જોડી અનાદિકાળથી બનીને રહી છે. જેમ માટી અને સોનાનો સંયોગ છે તેમ આ જીવ
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org