________________
પ્રગટ થતાં મોહરૂપી રાક્ષસ સ્વયં ભાગી છૂટે છે. મોહનું સ્થાન વૈરાગ્ય લે છે. જે સાચા સુખનો આસ્વાદ આપે છે. મોહજનિત જ્ઞાન હોવા છતાં તે અજ્ઞાનરૂપે કાર્ય કરી તને અંધકારમાં રાખતું હતું. તે જ્યારે પૂર્ણપણે પ્રકાશિત થયું ત્યારે મોહ નિશાચર ભાગી છૂટે છે. તેના લક્ષણરૂપ બીજી પ્રકૃતિઓ પણ ભાગી જાય છે.
આત્મા સ્વયં જ્ઞાન, ચેતનાનો સ્વામી છે. તેને પરના પ્રકાશની આશા કેવી ? મોહી જીવ જ્ઞાનનો આધાર ચક્ષુ અને ઇન્દ્રિયોને માને છે. તેથી ચર્મચક્ષુ હોવા છતાં જીવ અંધારામાં અટવાયા છે.
જ્યાં સુધી અંતરમાં પ્રકાશ ન થાય ત્યાં સુધી મોહનો નચાવ્યો તું જ્ઞાનપ્રકાશ મેળવવા તીર્થોમાં ભટક્યો. આરતીઓ ઉતારી, શાસ્ત્રો ભણ્યો. યોગાભ્યાસ કર્યો પણ તને કોઈ કિનારો મળ્યો નહિ. જ્ઞાનસ્વરૂપે જ્યારે તું સ્વયં પ્રગટ થયો ત્યારે મોહવશ તેં જે જે વિકલ્પો કર્યા હતા તે સૌ શમી ગયા. અને મોહની સાથે તેના જે સાથીઓ હતા તે હતાશ થઈને નાસી ગયા.
જ્ઞાનપ્રકાશનું સામર્થ્ય એ છે કે જીવમાં વિકાર થવા ન દે. વિકલ્પોને શમાવી દે. મનમર્કટને પૂરું સંયમમાં રાખે. પુદ્ગલથી અપરિચિત કરી દે. વસ્તુના સ્વરૂપનો યથાર્થ બોધ કરાવે.
ભેદજ્ઞાન અંતરદેગધારી, પરિહર પુદ્ગલ જાલ; ખીરનીર કી ભિન્નતા જિમ, છિનમેં કરત મરાલ. ૮૭
અંતરદષ્ટિમાં જો જ્ઞાન સાથે અભેદતા સધાઈ જાય તો પુદ્ગલ સામે ભેદજ્ઞાન હાજર રહી જીવને તેની મુચ્છથી મુક્ત કરી દે. ભેદજ્ઞાનનું રહસ્ય એ છે કે સ્વ-પરનું યથાર્થ ભાન રાખીને રહે. હું શરીરથી ભિન્ન, સર્વ ઇન્દ્રિયોથી ભિન્ન, સર્વ પરિવારથી ભિન્ન, સર્વ પદાર્થોથી ભિન્ન છું એવું સાક્ષાત ભાન જેને વર્તે છે તે સમ્યગ્દષ્ટિ. આત્મા ભેદજ્ઞાની છે. અંતરદૃષ્ટિ, નિર્મળષ્ટિ, સ્વરૂપદષ્ટિ એ ભેદજ્ઞાનની અવસ્થાઓ છે.
સામાન્ય જીવ રાગ સમયે પોતાને રાગી, કેષના ઉદયે પોતાને દ્વેષી, ક્રોધાદિના ઉદયમાં ક્રોધી વગેરે માને છે. સ્ત્રી-પુરુષની આકૃતિ
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org