________________
મળતા જીવને તેમાં એકતા થાય છે, માન અપમાન મળતાં તેમાં એકમેક થઈ જાય છે. જેની અંતરદૃષ્ટિ પ્રગટ થઈ છે. તે આ સર્વ ઉદયાદિને સ્વ-સ્વરૂપે માનતા નથી. પોતાને તે સર્વ પ્રકારોથી ભિન્ન માને છે.
ભેદજ્ઞાની કહે છે હું અને આ આકૃતિ એક નથી, હું અને ઉદયજનિત પ્રકૃતિ એક નથી, શ્રીમંતાદિ સંસ્કૃતિ અને હું એક નથી, વિકાર અને હું એક નથી, અરે આ વિચાર પણ હું નથી, તે સર્વને જાણનારો, સર્વ અવસ્થાથી ન્યારો જે છે તે હું છું. તેમ નિર્ણય થતાં એ પુદ્ગલજનિત આકારોના વિકારો તને સ્પર્શી શકશે નહિ. ગમે તેવી આકૃતિ, પ્રકૃતિ કે સંસ્કૃતિનો તારો સંબંધ ખીરનીર જેવો છે. અર્થાત દૂધ-પાણી સાથે રહેવા છતાં ભિન્ન છે. તે છૂટા થઈ શકે છે તેમ તું આકૃતિ કે પ્રકૃતિથી ભિન્ન છે તેથી પળમાત્રમાં ભેદજ્ઞાન કરીને મુક્ત થઈ શકે છે.
ભેદજ્ઞાન એટલે પરપદાર્થથી અને પરભાવથી છૂટા પાડવાનું સ્વબળ. રાગાદિભાવ ઊઠે ત્યારે પેલું બળ પરિણતિને તેમાં જોડાવા ન દે. સ્ત્રી પુત્ર, ધનાદિના સંયોગ થાય પણ પેલું બળ તેમાં આત્મબુદ્ધિ થવા ન દે. એકાંતમાં એ જ ભાવના ચાલે સર્વભાવોથી પોતાને ભિન્ન તારવી, સ્વપ્રત્યે દૃષ્ટિને વાળે. આવું ભેદજ્ઞાન આત્માના અભેદનું દર્શન કરાવે છે. જીવો અન્યોન્ય ભેદ રાખે છે. પણ ભેદજ્ઞાન નથી કરતા. મારા-તારા, પોતાના-પરાયા, એવા ભેદમાં રાચે છે. જ્ઞાની એવા ભેદને તોડે છે. પરંતુ એ સર્વમાં રહેલી મૂર્છા કે અજ્ઞાનને દૂર કરી પોતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને પરભાવથી અસંગ રહે છે. એવો નિરંતર અભ્યાસ પુદ્ગલને પરિહાર કરે છે.
એહવા ભેદ લખી પુલકા, મને સંતોષ ધરજે. હાણ લાભ સુખ દુઃખ અવસરમેં, હર્ષ, શોક નવિ કીજે. ૮૮ પુલના વર્ણાદિની નિરંતર પરિવર્તનશીલતા કે ક્ષણિકતા જોઈને, તું તે પ્રત્યે મનમાં સંતોષ ધારણ કરજે. જે પુગલને સ્પર્શીને આહાર સાત ધાતુ બની જાય. સાબુ મલિન થઈ જાય. અત્તર દુર્ગધમાં ફેરવાઈ જાય એવા વિકૃતિ ભેદ જાણીને તેના સેવનની મર્યાદા કરી
૧૩૨
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org