________________
ચઢાવે છે. તેમને સમર્પણ થવું એટલે તેમની આજ્ઞાને આધીન રહેવું. અત્યંત આદર રાખવો. તેમના અનુગ્રહને પાત્ર થયું.
પરમાત્મામાં જેનું લક્ષ્ય છે તેને પુગલની નિરર્થકતા અને પરમાર્થની સાર્થકતા સમજાય છે. પરમાત્મામાં એકતા થવી તે મિલન છે. જેથી સર્વ દુર્ગાન ટળી જાય. પુદ્ગલનો પ્રેમ છૂટ્યા પછી તારે જો પ્રેમનું ઉત્કૃષ્ટ સ્થાને જોઈતું હોય તો તે પરમાત્મા છે. એક વાર તે તેમની સન્મુખ થા તો તેમની અમીદષ્ટિનો તને સાક્ષાત્કાર થશે. તેમનો પ્રેમ નિઃસ્પૃહ છે. અચિંત્ય શક્તિ યુક્ત પ્રભુને આપણા હૃદયનો ભાવનાનો એક અંશ અર્પણ કરવામાં આવે તો આપણા ચિત્ત પ્રદેશ પર પડેલું વાસનાનું તાંડવ શમી જાય. તે નિર્મળ શક્તિનો પ્રવાહ આપણા આત્મપ્રદેશ ફેલાવાથી આપણે શક્તિસ્વરૂપ બનીએ છીએ. માટે પરમાત્મા પ્રત્યે નિરંતર પ્રેમ રાખો. મન, વચન, કાયાની અર્પણતા કરો. અને સદ્ગુરુની આજ્ઞામાં રહો.
જ્ઞાન ભાનું પૂરણ ઘટ અંતર, થયા જિહાં પરગાસ; મોહનિસાગર તાસ તેજ લખ, નાઢા થઈ ઉદાસ. ૮૬
હે સુજ્ઞ ! તારા ઘટમાં, હૃદયમાં, આત્મામાં, સેંકડો સૂર્યનો પ્રકાશ સમાઈ જાય તેવો તું પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છું. જ્યોતિ સ્વરૂપ એવા આત્મામાં નિમગ્ન થઈને જો તો ખરો કે અંતર અજવાળાથી ભરેલું છે. જ્યાં (પરગાસ) પ્રકાશ જ પ્રકાશ છે, તું અંધકારમાં અટવાયા કરે છે. આ જ્ઞાન એવું પૂર્ણ છે કે જગતના તમામ પદાર્થો તેના અનંત ગુણો, સઘળી અવસ્થાઓ પ્રતિબિંબિત થાય છે. વિશ્વમાં જીવો અનંતા છે, પુદ્ગલો અનંતા છે. તે દરેકની દશાનું પરિવર્તન નિરંતર થાય છે, તે સર્વે આ આત્માના જ્ઞાન ઉપયોગમાં જણાય
બહારમાં સર્વ જાણવાની તાકાતવાળું તારું જ્ઞાન આત્મામાં જે સુખ અને આનંદનો મહાસાગર ઊછળે છે તેના તરંગ જાણવા સમર્થ છે. એ જ્ઞાન શાસ્ત્રથી કે ઇન્દ્રિયથી થાય તેવું સીમિત નથી. પરંતુ જ્ઞાન જ સ્વયં સ્વ-પરને જાણે છે. છતાં પરને જાણીને જ્ઞાન પરસ્વરૂપે થતું નથી. અંતરઘટમાં જ્ઞાનાદિ અનંત શક્તિઓ પડી છે. પ્રકાશ
૧૩૦
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org