________________
આકુળતા નહિ. કારણ કે જ્ઞાનનું કાર્ય જાણવાનું છે. બહારમાં ગમે તેવા આકર્ષક પૌદ્ગલિક પદાર્થોનો લોકો મહિમા કરે પણ ભાઈ, તારા ચૈતન્યમાં જ્ઞાન-સુધારસનું અમૃત પડ્યું છે. તે ગુરુકૃપાએ પ્રાપ્ત કરી લે.
માનવદેહમાં મળેલી આ ચેતનાનું સામર્થ્ય અમૃતને પ્રાપ્ત કરવાનું છે. અમૃત પ્રાપ્ત કરવાના બે ઉત્તમ નિમિત્તો, ઉપકારી તત્ત્વો છે.
પરમાત્મા અને સદ્ગુરુ. તું વિચાર કર કે તું પુદ્ગલનો પરિચય કેવી રીતે કરતો હતો ? નિરંતર મન, વચન અને કાયા અર્થાત્ પૂરા તન અને મનથી મોહ કરવાની ટેવ છે. તે હવે આ શુદ્ધ પદાર્થોમાં લગાવ, અને પછી જો કે તને પરપદાર્થના પરિચયે શું મળતું હતું ? અને પરમાર્થના પરિચયે શું મળી રહ્યું છે ?
સદ્ગુરુ તને પ્રથમ પરમાત્માનું સ્વરૂપ બતાવે છે જેથી તને તેનું માહાત્મ્ય સમજાય. જેમની ક્રુણા વગર બોલાવે સહાયક બને છે. કોઈ પણ અપેક્ષા રહિત જેમનું વાત્સલ્ય છે. તું માંગે કે ન માંગે તારા તરફ પૂરી સજ્જનતા દાખવનાર અને અંતમાં તારું પૂર્ણ સ્વરૂપ દર્શાવનાર પરમાત્મા છે.
ત્વમેવ માતા શ્રપિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્વ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, ત્વમેવ શરણં મમ દેવ દેવ.
પરમાત્માનું નામ માત્ર જ સર્વોત્કૃષ્ટ છે, તેની સમૃદ્ધિનાં દર્શન તેમની આકૃતિમાં થાય છે, સ્મરણ તેમના નામથી થાય છે. દર્શન-સ્મરણ બંને જીવને પવિત્ર કરે છે. મલિનતા ટાળે છે. જો મનુષ્ય અંતરમુખ થઈ આ પરમતત્ત્વને ઉપાસે તો પોતાનું પરમાત્વસ્વરૂપ પ્રગટ થાય છે. તે માટે પરમાત્મા પ્રત્યે નિરંતર પ્રીતિ કરવી જોઈએ. પ્રીતિ પ૨પદાર્થથી જ્યારે તૂટે છે ત્યારે જ પરમતત્ત્વ પ્રત્યે જોડાય છે.
સર્વ દોષનું મૂળ અહંકાર છે. પરમાત્માને પ્રીતિ કરવાથી તેનું વિસર્જન થાય છે. તારી ભાવના માટે દેવગુરુ સમાન તત્ત્વ છે. પ્રત્યક્ષ એવા ગુરુને તન-મન-ધન અર્પણ કરતો જા પછી મોહ ક્ષણ થયા વગર નહિ રહે. ગુરુ પરમાત્માનું સ્વરૂપ બતાવી જીવને માર્ગે
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
૧૨૯
www.jainelibrary.org