________________
પરમાતમથી મોહ નિરંતર, લાવો ત્રિકરણ શુદ્ધ પાવો ગુરૂગમ જ્ઞાન સુધારસ, પૂરવપર અવિરુદ્ધ. ૮૫
પુદ્ગલ પરિચયથી આત્મા દુઃખ જ દુઃખ પામે છે તે અનેક રીતે સમજાવ્યા પછી હવે ગ્રંથકારને લાગે છે જીવોને આ ફંદનો છંદ છોડવવો જરૂરી છે, તેથી પુણ્યવંતા જીવોને પુદ્ગલના પ્રલોભનોથી મુક્ત થવાનો ઉપાય બતાવે છે.
ગ્રંથકાર પુદ્ગલના મોહના પરિણામને જાણે છે.
તેને મોહ છોડવાની વાત કરી ભડકાવતા નથી. એ મોહને વળાંક આપે છે. પૌદ્ગલિક પદાર્થોને બદલે પરમાર્થ પદાર્થરૂપ પરમાત્મા પ્રત્યે મોહ કરવાની પદ્ધતિ બદલાવે છે. તારા વચન અને કાયાના યોગ પૌદ્ગલિક પદાર્થો પ્રત્યે પ્રવૃત્ત હતા, તેમાંથી ઉત્પન્ન થતા કષાયો વડે તે મલિન હતા. તેની શુદ્ધિ માટે પરમાત્મા પ્રત્યે પ્રીતિ કરવામાં તારા એ જ મનાદિ યોગને કાર્યશીલ કરવાના છે. યોગમાં મલિનતા હોય તો પરમાત્માનું મિલન થતું નથી. પરમાત્માના ધ્યાન માટે તારે ત્રણ યોગને શુદ્ધ કરવા જરૂરી છે.
યોગને શુદ્ધ કરવાનો ઉપાય ક્યાંથી મળે ?
યોગની શુદ્ધિ માટે પ્રથમ તારે સગુરુની નિશ્રા જોઈશે. તેમની પ્રત્યેના અહોભાવથી તને ગુરુગમે-કૃપાએ ઉપાય મળશે. તારામાં રહેલા જ્ઞાનનું અમૃત પ્રગટ થશે. જે જ્ઞાન પૂર્વાપર ત્રણ કાળને વિષે અવિરુદ્ધ છે. જ્ઞાનની પ્રણાલિ કે પ્રરૂપણા ક્યારે પણ વિરોધ પામતી નથી. જ્ઞાનથી મન સંયમમાં રહે. જ્ઞાનથી કર્મ નાશ પામે. જ્ઞાનથી મુક્તિ પમાય. જ્ઞાનનું ફળ વૈરાગ્ય છે. જ્ઞાન સુખ તરફ લઈ જાય.
જ્યાં જ્ઞાન છે ત્યાં આવું ઉત્તમ રહસ્ય પ્રગટ થાય છે. તેમાં કોઈ વિરોધ નથી.
જ્ઞાની સદ્ગુરુ તને જ્ઞાનામૃતનું પાન કરાવશે. ત્યારે તને ભાન થશે કે હું જ્ઞાનપૂર્ણ છું. આનંદ અને સુખની વેદનવાળો છું. એ જ્ઞાન થવામાં તારે ઇન્દ્રિયોની જરૂર નહિ. રાગાદિ કે ગર્વની જરૂર નહિ, કોઈ પૌગલિક પદાર્થની જરૂર નહિ. તે જ્ઞાનના પરિચયમાં
૧૨૮
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org