________________
કે બળીને રાખ થવાનું છે. તો પછી તેની શોભાથી કરેલો ગર્વ શા કામનો ?
ત્રણ ખંડના સ્વામી વાસુદેવને, છ ખંડના અધિપતિ ચક્રવર્તીને પોતાના શરીરના બળ પર કેવો ગર્વ હતો ? તે પણ ચાલી નીકળ્યા. ક્યાંય નામનિશાન ન મળે. અને આવા એક-બે નહિ પરંતુ લાખો કરોડો અધિપતિઓ થઈ ગયા. શરીરબળ આમ તો પુણ્ય પ્રકૃતિજન્ય છે. તેનો ભરોસો કેટલો ? નદીના પૂર જેવું યુવાનીનું બળ હોય છે. પૂર ચઢે પણ ઊતરવાના સ્વભાવવાળું હોય. તેમ યુવાનીનું બળ ચઢે પણ તે જરાવસ્થામાં ઊતરવાવાળું હોય છે. તેં તેવી પરિસ્થિતિઓ નજરે જોઈ છે ! ક્યાં આ નવું છે કે તને કહેવાનું હોય !
રાવણ શારીરિક શક્તિમાં દશ શરીર જેવું બળ ધરાવતો હતો. દશ મસ્તક જેવી નિપુણતા ધરાવતો હતો. ચંદ્રહાસ ખડગ તેનું દૈવી શસ્ત્ર હતું. સિંહને પણ હણી નાંખે તેવો બળવાળો હતો. રાજનીતિમાં નિપુણ હતો. ઇન્દ્ર પણ તેનાથી સજાગ હતા તે રાવણ રણમાં રગદોળાયો ત્યારે શરીરની શક્તિ તેને દગો દઈ બેઠી. માટે તનનો ગર્વ વ્યર્થ છે.
ઇણ વિધ જ્ઞાન હીયેમેં ધારી, ગર્વ ન કજે મિત્ત, અસ્થિર સ્વભાવ જાણ પુદ્ગલ કો, તજો અનાદિ રીત. ૮૪
હે મિત્ર ! આગળ જેમ 'વિચાર કર્યો કે આ તન માટે કરેલા ગર્વ કોઈના ટક્યા નથી. જ્યાં મોટા માંધાતાઓ પણ પાછા પડ્યા છે ત્યાં હું કયા પદાર્થ માટે ગર્વ કરું ? એક ચક્રવર્તીને તેની છ ખંડની પૃથ્વી માટે ગર્વ ન હોય પણ મને તો છ વારની જગાનો ગર્વ પીડે છે. જેને માટે ગર્વ કરું છું તે તન તો ગમે ત્યારે ક્ષીણ થાય તેવું છે. આ મારું કેવું અજ્ઞાન છે કે જે પદાર્થો પળે પળે પલટાતા છે, એક દિવસ ત્યજીને જવાનું છે, જે પદાર્થોની રજકણ લઈ જવાશે નહિ, જે સ્ત્રીઆદિ માટે ગર્વ કરતો હતો, તેમના વિયોગે હું સંસારમાં ગોઠવાઈ ગયો છું. મારા વિયોગ પછી એ સૌ ગોઠવાઈ જશે.
૧૨૬
Jain Education International
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
For Private & Personal Use Only
www.jainelibrary.org