________________
ફોટો તારા ત્રેસઠ વર્ષના ફોટાની બાજુમાં મૂકીને જો, તારી યુવાનીનો ફોટો ત્યાસી વર્ષના ફોટા સાથે મૂકીને જો, અથવા કલ્પના કર કે ત્રણ પગથિયાં સાથે ઠેકનારો, પહાડો પર કૂદનારો તું ક્યાં, અને અત્યારે ઊભા થતાં પણ પગ ધ્રૂજે એવી તારા શરીરની અવસ્થા
ક્યાં ? તું તે પાછી લાવવા ઇચ્છે તો પણ તારું કે કોઈ સમ્રાટનું પણ કંઈ ચાલતું નથી.
આમ વિચાર કરીને જે તત્ત્વ સ્થિર છે, નિત્ય છે, તે પ્રત્યે દષ્ટિ કર, તો તારી દૃષ્ટિમાં પુદગલના ઊપજેલા વિકારો શમી જશે. તું વાસ્તવિકતા સમજી શકીશ. અને સંયોગ-વિયોગની લપથી કે હરખ શોકના વમળમાંથી મુક્ત થઈ શકીશ.
જો તનકો મન ગરવ ધરત હૈ, છિન છિન રૂપ નિહાર, તે તો પુદ્ગલપિંડ પલકમેં, જલ બલ હોવે છાર. ૮૩
જે શરીરને જોઈને મને ગર્વ ધારણ કરે છે કે હું કેવો ગોરો, ઊંચો, રૂપવાન, તાકાતવાન, ધનવાન છું. કેટલુંયે મનમાં રાખીને ફાંકડો થઈને ફરે છે. પરંતુ દરેક ક્ષણે એ સર્વ પુદ્ગલનું પરિણમન પલટાતું રહે છે. અને એક દિવસ સઘળું ઊંધું દેખાવા માંડે છે. ચામડી શ્યામ થઈ જાય છે. પાછળથી વાંકો વળી જાય છે. રૂપ તો ક્યાંય વણસી જાય છે. તાકાત તો એવી ગળી જાય છે કે પથારીમાં સૂતો હાથ ઊંચો કરી શકતો નથી. ધન વળી બીજા ઘરને શોધી લે છે. તે જે પદાર્થો પર ગર્વ રાખ્યો હતો તે પદાર્થો ક્ષણે ક્ષણે ક્ષીણ થાય છે. તેમ તારો દેહ પણ તે જ નિયમને અનુસરે
આકાશમાં રહેલાં વાદળો (જલબલ) પવનને ધક્કે ક્યાંય ખેંચાઈ જાય છે. કે ક્ષણમાં વિખરાઈ જાય છે. તેમ તારું શરીર ક્ષણમાં પલટો મારી દે છે. દેહને હીરા, મોતીની માળાથી શણગારીને ગર્વ લે છે. માથે મુગટ પહેરી, કાનમાં કુંડળ પહેરી, દસે આંગળીઓમાં હીરા જડિત વીંટી પહેરી હાથની શોભાનો ગર્વ લે છે. પરંતુ જ્યારે બધું ત્યજીને તું મહાપ્રયાણ કરે છે, ત્યારે તારા સગાં-સ્નેહીઓ આમાંનું કશું તારા અંગ પર રહેવા દેતા નથી, જો શરીર બળીને
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org