________________
એવાં પહેરતો કે જોનારની આંખો આશ્ચર્ય પામતી, હજારોની સલામો ઝીલતો. પણ હાય ! કાળે તેને કંઈ જ કહ્યા વગર ઝડપી લીધો. તેણે જાણ્યું પણ નહિ કે આ સર્વે પુગલના ખેલ તો પૂરા ભજવ્યા પણ નહિ. અને ચાલી નીકળ્યો. કારણ કે તેણે જે પુદગલો વિસ્તાર્યા હતા તે અને તેનો દેહ સ્વયં વિનશ્વર હતા. પછી ટકાવવા ઇચ્છે તો પણ ટકે ક્યાંથી ?
પુદ્ગલકે સંયોગ વિયાગે, હરખ શોક ચિત્ત ધારે, અથિર વસ્તુ થિર હોઈ કહો કેમ, ઈણ વિધ નહિ વિચારે. ૮૨
પૂર્વજન્મની વાત જવા દો, પરંતુ મનુષ્ય જન્મ્યો ત્યારથી, તે જ ક્ષણથી તેના જીવનનો પ્રારંભ પુદ્ગલના પરિચયથી જ થાય છે. જન્મ અને તરત જ કોઈ શરીર પર ઠંડું પાણી નાંખે, તેનો દેહભાવ તરત જ રડી ઊઠે છે. જન્મ્યો કે તરત જ પારણાં અને ઘૂઘરા જોઈએ. આહારના પદાર્થો જોઈએ, રમવા જેવો થયો ત્યારે રમકડાં જોઈએ. ગિલ્લી-દંડા જોઈએ, યુવાન થતાં વ્યાપાર, સામગ્રી જોઈએ, સ્ત્રી-પુત્ર-મિત્રાદિ પરિવાર જોઈએ, મરતાં નનામી જોઈએ, દેહની સમાપ્તિ માટે લાકડાં જોઈએ. આમ દેહધારી માનવ પુદ્ગલ વગર એક ક્ષણ પણ ટકતો નથી. વાસ્તવમાં આત્મા પુદ્ગલથી ટકતો નથી.
અજ્ઞાનવશ પુદ્ગલ એ એનું શરણ બન્યું છે. તેના વગર તે બેશરણ થઈ મૂંઝાય છે. અનુકૂળ પદાર્થોના સંયોગમાં તે હરખે છે, નાચે છે. પ્રતિકૂળ પદાર્થો મળતાં મૂંઝાય છે. અનુકૂળ પદાર્થોના વિયોગમાં રડે છે. શોક કરે છે. દુનિયામાં કંઈ માનવ ધારે એવું બધું બનતું નથી એટલે હરખ-શોકના નિમિત્ત મળે તે હસે છે. રડે છે. તેના જીવનની ચાવી નિમિત્તોના હાથમાં છે.
જે પદાર્થો મૂળમાં અસ્થિર છે, નાશવંત છે, તેને સ્થિર રાખવા મથે કે નિત્ય ટકાવવા મથે તો તે સંભવ નથી. અન્ય પદાર્થોની વાત જવા દે. તારું શરીર જ સ્થિર નથી તેના ફેરફારનો તું વિચાર કર. બાળવયમાં, કિશોર અવસ્થામાં, યુવાનીમાં, પ્રૌઢતામાં અને વૃદ્ધાવસ્થામાં તારી દશાઓ કેટલી બદલાતી રહી. તારો ત્રણ વર્ષનો
૧૨૪
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International