SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ વિલાસ કે વિકાસ જણાય છે તે સર્વે ચેતનનો પ્રભાવ છે. વળી વિશ્વના અનેક પદાર્થોમાં જીવ પુદ્ગલની જોડી થઈ છે. જો બંને પૃથક થાય તો કોઈ વિકાર કે વિચિત્રતા જણાતી નથી. તેથી પુદ્ગલના અભાવે સિદ્ધરૂપમાં કોઈ વિકાર જણાતો નથી. તે સિદ્ધરૂપ જીવને કંઈ સુખદુઃખ, હર્ષશોક જન્મ-મરણના વિકારો હોતા નથી. એ સર્વ પુદ્ગલનો વ્યવહાર છે. પુદ્ગલહું કે મહેલ માલીયે, પુદ્ગલટુંકી સેજ, પુગલપિંડ નારકો તેથી, સુખ વિલસત ધરી (જ. ૭૬ પુદ્ગલ એટલે કેવળ દેહ નથી. પુદ્ગલમાં પથરા, ઈટ, આરસ, લાકડા, લોઢું, ચૂનો વગેરે છે. તેમના સ્થાનેથી તે વસ્તુને એકઠી કરી. તેને અમુક આકાર આપી, વ્યવસ્થિત ગોઠવી દીધી તે મહેલ, મૂળ તે પુદ્ગલ પદાર્થ છે. તેમાં વસાવેલાં સુખનાં સાધનો ખાટલા-શયા વગેરે પણ પુગલના પદાર્થો છે. અરે જે સ્ત્રીના શરીરમાં તું મોહ પામી સુખ માણે છે તે દેહ પણ પુદ્ગલપિંડ છે. આમ સર્વત્ર પુગલ જ પુદગલ છે. ચેતનાના સંસાર વડે દેહપિંડ સજીવ મનાય છે. મૂળમાં તો તે પુદ્ગલ છે. પુલપિંડ ધારકે ચેતન, ભૂપતિ નામ ધરાવે, પુદ્ગલ બલથી પુદ્ગલ ઉપર, અહનિશ હુકમ ચલાવે. ૭૭ મોમ ભૂપતિ કે ચક્રવર્તીના દેહ પણ પુદ્ગલપિંડ છે. સપ્તધાતુના પિંડને ધારણ કરીને પુણ્યયોગથી મળેલી સત્તાને કે વૈભવને કારણે તે ભૂપતિ કહેવાય છે. વળી પોતે શારીરિક બળ વડે અન્યના દેહપિંડ પર નિશદિન હુકમ ચલાવે. આમ જીવ ક્યાં તો પુદ્ગલને આધારે હુકમ કરે છે ક્યાં તો હુકમ આધીન થાય છે. પુદ્ગલબલની સત્તાથી આવા ભેદ થયા છે. પુદ્ગલહુકે વસ્ત્ર આભૂષણ, તેથી ભૂષિત કાયા, પુદ્ગલકા ચામર છત્ર, સિંહાસન અજબ બનાયા. ૭૮ જે વસ્ત્ર કે આભૂષણ ધારણ કરીને, કાયાને શણગારે છે તે સર્વે પુદ્ગલ છે. વળી રાજાના શોભારૂપ આચાર છત્ર સર્વે પુલ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૧૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy