SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ શુભાશુભ પરિણામ થયા કરે તો જીવ છૂટે ક્યારે ? આથી જ્ઞાનીજનોએ જીવને સ્વ પ્રત્યે દૃષ્ટિ કરાવી કે તું કેવળ શુભાશુભ પરિણામવાળો અનાત્મા નથી. એ બંને ભાવ કર્મપ્રકૃતિના છે. તે સ્વયં શુદ્ધ ભાવવાળો છું. આવો બોધ પાપીને જીવ સ્વયં સમજે છે ત્યારે તે શુભાશુભ ભાવોનો છેદ થઈ આત્મા સ્વભાવપણે પ્રગટ થાય છે. ગમે તેવું ઉત્કૃષ્ટ પુણ્ય પણ શુભાશ્રવ છે. આશ્રવથી મોક્ષ નથી. પ્રથમ અશુભ છૂટે ત્યારે ભૂમિકા પ્રમાણે શુભ ભાવ હોય પરંતુ જ્ઞાની તેને પોતાના સુખનું કારણ માનતા નથી તેથી પુણ્યમાં રોકાતા નથી. પોતાની દૃષ્ટિ શુદ્ધ દ્રવ્ય પ્રત્યે રાખીને ભાવની વિશુદ્ધિ કરે તીન ભુવનમેં દેખિયે, સહુ પુદ્ગલકા વિવહાર, પુગલ વિણ કોઉ સિદ્ધરૂપમેં, દરસત નહિ વિકાર. ૭૫ ત્રણ ભુવનરૂપ સારી સૃષ્ટિમાં જ્યાં જુઓ ત્યાં સર્વત્ર પુદ્ગલનો વ્યવહાર દેખાય છે. જો પુદ્ગલને છોડી દઈએ તો જીવના સિદ્ધરૂપમાં કોઈ વિકાર જણાતો નથી. વિશ્વમાં પ્રાણીમાત્રનું હરવું-ફરવું, ઊઠવું-બેસવું, આહાર-વિહાર, બોલવું-ચાલવું. જન્મ-મરણ, સુખ-દુઃખ આ સર્વ ક્રિયા પુદ્ગલનો વ્યવહાર છે. પુદ્ગલના સંયોગ વગર જીવને હરવા-ફરવા વગેરેનું પ્રયોજન શું? એક ક્ષણ કલ્પના કરો કે આ વિશ્વમાં કેવળ ચૈતન્ય છે. પુદ્ગલ જેવું કંઈ છે નહિ. તો સર્વ વિચિત્રતા અને વિષમતા શમી જશે, જીવને કંઈ કરવાનું રહેશે નહિ. પણ જગતના સ્વરૂપમાં રહેલા આ જડ અને જીવનું સહઅસ્તિત્વ સ્વીકાર્યા વગર ચાલે તેમ નથી. સહઅસ્તિત્વ છતાં લક્ષણથી કે સ્વભાવથી બંને પદાર્થો ભિન્ન છે. સિદ્ધરૂપ પુદ્ગલના જેવું રૂપી નથી, અરૂપી છે. તેનો પુદ્ગલની જેમ પથારો તને જણાય તેમ નથી, પરંતુ ચેતન વગરની આ પુદ્ગલ સૃષ્ટિને જાણનાર કોઈ નથી. જેમ પુદ્ગલની સમસ્ત વિશ્વમાં વ્યાપકતા છે. તેમ ચેતનની પણ વ્યાપકતા છે. જગતમાં જે અનેકવિધ રૂપાંતરો, ૧૨૦ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy