________________
કે જીવના પરિણામનો સ્પર્શ પામી સ્વયં શુભાશુભરૂપે પરિણમે છે. તેને શુભાશુભ કર્મ કહે છે. વર્ગણા જડ છે. તેનામાં સ્વયં શુભાશુભ પરિણામ નથી. જેમ વ્યક્તિએ આહાર લીધો, તે પાચન થયો અને તે તે ધાતુમાં પરિણામ પામ્યો. તેમાં કફ, વાત અને પિત્ત રૂપ પરિણમન થયું. તેની અસર શરીરને થાય. તેમ કાર્મણવર્ગણા જીવના પ્રદેશ સાથે જોડાયા પછી તેમાં શુભાશુભ પરિણામ પ્રમાણે ફળ આપે
આ કામણવર્ગણા આઠ પ્રકૃતિમાં વહેંચાઈ જાય છે. તેમાં જ્ઞાનવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય. તે અઘાતી કર્મ અશુભરૂપે હોય છે. આત્માના ગુણોને આવરણ કરે છે.
નામ, ગોત્ર, કર્મ, અને વેદનીય ઘાતકર્મ છે. તે શુભાશુભરૂપે ફળ આપે છે.
મન વચન કાયાના યોગ વડે કર્મ આવે છે. ઉપયોગની શુભાશુભતા પ્રમાણે તે કર્મ શુભ કે અશુભરૂપે પરિણમી ફળ આપે છે. તેનો જીવને સુખ કે દુઃખરૂપે અનુભવ થાય છે.
શુભ સંયોગે પુણ્ય સંચ), અશુભ યોગથી પાપ, લહત વિશુદ્ધભાવ જબચેતન, સમજે આપોઆપ. ૭૪
શુભ પરિણામના યોગે જીવ પુણ્યનો સંચય કરે છે. અશુભ પરિણામના યોગે જીવ પાપનો સંચય કરે છે. આ પુણ્ય-પાપ કર્મપ્રકૃતિ હોવાથી, આત્માના સ્વભાવયુક્ત નથી. તેથી જ્યારે જીવનો ઉપયોગ મોહનીય આદિ કર્મ રહિત કે શુભાશુભ ભાવ રહિત હોય છે ત્યારે શુદ્ધ ઉપયોગને કારણે કર્મો આપોઆપ છૂટી જાય છે.
આ સંસારની રચના પણ અદ્ભુત છે ને ? કંઈ લેવાદેવા વગર જીવ વિકલ્પો કર્યા કરે છે. તે વિકલ્પો શુભ હોય તો જીવને પુણ્યનો યોગ થાય અને એ વિકલ્પો અશુભ હોય તો જીવને પાપનો સંચય થાય છે. પુણ્ય સુખ આપે છે, પાપ દુઃખ આપે છે. જીવ સુખ ઇચ્છે છે છતાં તેણે કરેલાં અકાર્યો વડે તે દુઃખ પામે છે. એટલે જીવના સુખદુઃખનો આધાર આ શુભાશુભ યોગ છે. હવે જો
છે.
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org