________________
તારા સંયોગમાં આવે છે. તેમાં નવીન કંઈ હોતું નથી. પણ તને જૂનું યાદ નથી તેથી દર જન્મે તને તે તે પદાર્થો નવા લાગે છે. અને તું તેને વળગી જ પડે છે. - આઠ વર્ગણા પૈકી જે જે વર્ગણા તારા સંયોગમાં આવે છે તેને કર્મબંધ કહેવાય છે. સોના અને માટીની જેમ તારો આ અનાદિ સંબંધ છે. તેના સંબંધે તું સંસારી કહેવાય છે. તેના વિયોગે તું સિદ્ધ મનાય છે. કાશ્મણવર્ગણાના સંયોગે જીવે અનેકરૂપ ધારણ કર્યા, અનેક સ્થાનોમાં ભમ્યો. એ પુદ્ગલનો પથારો ઘણો વિસ્તૃત છે. છતાં જે તે સંકેલવા કટિબદ્ધ થાય છે. તે ક્ષણમાત્રમાં તેને સમેટી લે છે. જેમ કરોળિયો પોતે પોતાની લાળથી જાળુ કરે છે. પરંતુ અંદર મૂંઝાય ત્યારે એ જાળાને તોડીને ગળી જાય છે અને બહાર નીકળે છે. જો તને પુદ્ગલની જાળમાં મૂંઝવણ થાય, તો તે જ ઊભો કરેલો એ પથારો સંકેલાઈ જાય અને તે કર્મથી મુક્ત થાય.
તારો ને પુદ્ગલનો સાંયોગિક સંબંધ છે. સ્વાભાવિક સંબંધ નથી, કે જેથી તારે તેમાં બંધાઈ જ રહેવું પડે. અગ્નિ અને લોઢાના જેવો આ સંબંધ છે. અગ્નિથી લોઢું ભિન્ન છે. તેમનો સંયોગ સંબંધ છે. અગ્નિ ઠરી જતાં લોઢું અસલ સ્વરૂપે રહે છે. તેમ તારો અને કર્મવર્ગણાનો સંબંધ છે. અગ્નિના સંયોગે લોઢાને ટિપાવું પડે છે. તેમ કર્મના સંયોગે જીવને ચાર ગતિમાં ટીપાવું પડે છે. જો કર્મનો સંબંધ તને છોડતાં આવડે તો તારું ટીપાવું જરૂર બંધ થાય.
ગહત વરગણા શુભ પુદ્ગલકી, શુભ પરિણામે જીવ, અશુભ અશુભ પરિણામયોગથી, જાણો એમ સદીવ. ૭૩
કાર્મણવર્ગણાનું લક્ષણ જળના વર્ણ જેવું છે. જળમાં જેવો વર્ણ નાંખો તેવા વર્ણવાળું જળ બને. તેને જે પાત્રમાં નાંખો તે આકારવાળું બને. તેમ કાર્મણવર્ગણ જીવના શુભ પરિણામનું નિમિત્ત પામી શુભરૂપે પરિણમે છે. અને જીવના અશુભ પરિણામનું નિમિત્ત પામી વર્ગણા અશુભરૂપે પરિણમે છે.
કાર્મણવર્ગણા સ્વયં શુભાશુભ નથી. પરંતુ તેનું લક્ષણ એવું છે
* અગ્નિ સબધ છે. ચાર ગોપાવું
૧૧૮
પુલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org