________________
વૈભવ અને રંક માનવનું તૂટેલું પાત્ર પૌદ્ગલિક છે. અર્થાત ચેતનના લક્ષણ વગરના સર્વ પદાર્થો પૌદ્ગલિક છે.
હવે વળી પુદ્ગલનું સૂક્ષ્મ સ્વરૂપ બતાવે છે. પુદ્ગલમાત્ર રૂપી હોવા છતાં તેનો સૂમ ભાગ પરમાણુ છે તે ચક્ષુગોચર નથી. એવા અનંત પરમાણુની કામણવર્ગણા બને છે. જેનું કાર્ય કર્મબંધરૂપે પરિણમી આઠ પ્રકૃતિમાં વહેંચાઈ જવાનું છે. - વર્ગણા એટલે અનંત પરમાણુ જોડાઈને સમૂહ બને તે વર્ગણા છે. વિશ્વના માનવ જેવા પ્રાણીને પણ ખબર નથી કે આ વિશ્વમાં આવો કોઈ પદાર્થ છે. વૈજ્ઞાનિકો પણ એને શોધી શક્યા નથી. એવી આઠ વર્ગણાના સંયોગથી જીવ શરીરાદિને ધારણ કરે છે. આઠ વર્ગણાના નામ નીચે મુજબ છે.
૧. ઔદારિકવર્ગણા = જે ઔદારિક શરીરરૂપે પરિણમે છે. તિર્યંચ મનુષ્યના શરીર.
૨. વૈક્રિયવર્ગણા = જે વૈક્રિય શરીરરૂપે પરિણમે છે. દેવ અને નારકના શરીર.
૩. આહારવર્ગણા = જેની મુનિઓ પોતાના શરીરમાંથી રચના કરે છે.
૪. તેજસવર્ગણા = શરીરમાં તેજસ શરીરરૂપે રહે છે. ૫. કામણવર્ગણા = કર્મબંધનમાં જે કાર્ય કરે છે. ૬. ભાષાવર્ગણા = જે શબ્દરૂપે ગ્રહણ થાય છે. ૭. શ્વાસોચ્છવાસવર્ગણ = જે શ્વાસ રૂપે ગ્રહણ થાય છે. ૮. મનોવર્ગણા = જે મનના વિચારોરૂપે પરિણમે છે.
કર્મકલંકવાળો જીવ આઠ વર્ગણા પૈકી તે તે જન્મને યોગ્ય વર્ગણા ગ્રહણ કરી લે છે. ઔદારિક વર્ગણા ગ્રહણ કરી ઔદારિક શરીર મેળવે છે. તેને યોગ્ય ભાષા. વગેરે વર્ગણા ગ્રહણ કરી તે તે પ્રાણને મેળવે છે. દરેક જન્મે નવી વાત, નવી જાત અને નવી ભાત. છતાં પુદ્ગલો તો તે પૂર્વે ગ્રહણ કરીને છોડેલા તે જ દીર્ધકાળે
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
૧૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org