________________
સદ્દગુરુના એ બોધને ગ્રહણ કરી, જિનેશ્વરે નિરૂપણ કરેલા જીવાદિ કે પુણ્યાદિ તત્ત્વોનો યથાર્થપણે બોધ પામ અને પુદ્ગલના સ્વરૂપને જાણી તેના પરિચયથી અપરિચિત થતો જા.
પંચમકાળમાં જન્મેલા માનવનું આયુષ્ય કેટલું ટૂંકું છે. જોતજોતામાં ચાલીસ-પચાસ તો ક્યાં પૂરાં થઈ જાય છે. ઇન્દ્રિયોમાં, આરંભ પરિગ્રહમાં પુત્રાદિ પરિવારમાં ક્યાંય લૂંટાઈ જાય છે. અનેક વિદ્ગો અને અંતરાયો આયુષ્યને આંચકો આપે છે. પરંતુ લોકસંજ્ઞા કે લોકલાગણીના પ્રવાહમાં તણાઈ જવાથી કંઈ શ્રેય નથી. કોઈ દરિદ્રિ એના મિત્રને શ્રીમંત બનાવવા પ્રયત્ન કરે તો તે મૂર્ખાઈ છે. તેમ તારી પાસે આત્મશ્રેયની મૂડી ઓછી છે. તેથી તે પ્રવાહમાં આત્મશ્રેય કરી શકે તેમ નથી. માનવ જન્મે ત્યારે પૂર્વકર્મકૃત દેહ, ઈન્દ્રિયો, આયુષ્ય લઈને જન્મે છે. પુણ્યયોગે ધન, ઘર, સ્ત્રીપુત્રાદિ પરિવાર મેળવે છે. પરંતુ ચિરવિદાય સમયે પૂર્વનું કે આ જન્મનું મૂકીને જાય છે. તો પછી તેં જે પરિશ્રમ ઉઠાવ્યો તેનું શું પરિણામ ? બસ દરેક જન્મે આવો વ્યર્થ શ્રમ કરવાનો. જડાત્મક વસ્તુઓ મેળવવાની અને મૂકવાની, ધંધો બદલવાનો જ નહિ. એમાં કોઈ દિવસ મંદી નહિ ?
કર્મની આધીનતા એ જ આત્માની મલિનતા છે એવી દશામાં તેનું જાણવું, બોલવું સઘળું મોહજનિત હોવાથી મિથ્યા છે. પોતે મોહને છોડે અને મોક્ષ પ્રત્યે રુચિ કરે તો છૂટવાનો આરો મળે ખરો. તે માટે ગુરુજનોએ બતાવેલ દિશામાં પ્રયાણ કર. પુદ્ગલને બદલે તને પરમાર્થની પ્રાપ્તિ થશે.
અષ્ટવર્ગણા પુદ્ગલ કેરી, પામી તાસ સંયોગ; ભયો જીવકું એમ અનાદિ, બંધનરૂપી રોગ.
પુદ્ગલનો પથારો, ચંચુપાત ક્યાં નથી ? બાહ્ય જગતમાં ચેતન વડે જે જણાય તે સર્વ પુદ્ગલ. તમે એમ ન સમજતા કે આ દેહને પુદ્ગલ કહેવાય છે. ઘરમાં રહેલા ખાટલા-પાટલા, વસ્ત્રો-પાત્રો, રાચરચીલું, ઘર કે નગર સર્વ પુદ્ગલ છે. ખ્યાતિ-અખ્યાતિ મેળવી સર્વે પુદ્ગલના ખેલ છે. વિશ્વનો ગમે તેટલો ક્ષુદ્ર પદાર્થ કે મૂલ્યવાન પદાર્થ પૌલિક છે. મોટા પહાડો કે રજકણ પૌગલિક છે. ચક્રવર્તીના
૧૧૬
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org