________________
જીવમાં શુભ ભાવ થાય છે. દુષ્કૃત્યના નિમિત્તથી જીવમાં અશુભ ભાવ થાય છે. તેનો સમય થતાં તે તે પરિણામ ફળ આપે છે. જીવને તે પરિણામ ભોગવ્યા વગર છૂટકો નથી.
શુભથી મળતા પુણ્યયોગને ત્યજી દેવો સહેલો છે. પણ પાપને ત્યજી દેવું કઠણ છે. પુણ્ય રૂનો ગોળો છે. પાપ લોઢાનો ગોળો છે. રૂના ગોળાને ફૂંક મારો ઊડી જશે. લોઢાના ગોળાને લાત મારો ખસી જશે નહિ. પુણ્યયોગે કોઈ વ્યક્તિ પાસે લાખરૂપિયા વધી ગયા. વસ્ત્રો વધી ગયા તે અન્યને આપીને હળવો થશે. તમારા સુખની વાત કરીને કોઈને તમે સુખ આપી શકશો. પણ તમારી દરિદ્રતા તમારા પુણ્ય વગર ત્યજી શકતા નથી કે કોઈને તે આપી શકતા નથી.
આવા શુભાશુભ કંઠથી છૂટવાનો એક માત્ર ઉપાય છે મૂળ સ્વભાવમાં રહેવું. શુદ્ધ ભાવમાં રહેવું. શુભાશુભ ભાવનું પરિણામ પરિભ્રમણ છે. શુદ્ધ સ્વભાવની ફળશ્રુતિ મુક્તિ છે. પસંદગી સ્વાધીન છે. યદ્યપિ જીવમાત્રમાં રહેલા અશુભ ભાવ શુભ ભાવના સર્જનથી દૂર થાય છે. શુભાશુભ ભાવને રોકનાર ભાવસંવર છે. પરંતુ અશુભ ભાવની ભૂમિકાવાળા પ્રથમ અશુભસંવર થાય ત્યારે આત્મસન્મુખ ધર્મ પ્રત્યે રુચિ જાગે છે. શુભ યોગે તેને એવાં સાધન મળે છે. પરંતુ અહીં શાસ્ત્રકાર કહે છે, આ શુભાશુભની માયાજાળ સ્વભાવ લક્ષ્યગત થવાથી છૂટે છે. ઉત્કૃષ્ટ પુણ્યનો પણ ત્યાગ સ્વભાવને પ્રગટ કરે છે. જોકે ઉત્કૃષ્ટ પુણ્ય સ્વયં એ કોટિનું હોય છે. તેથી પોતાની અવધિ થતાં વિદાય થાય છે. તે જીવને મોહ પમાડી રોકતું નથી.
જેમ જીવના પરિણામ શુભાશુભરૂપે પરિણમે છે તેમ પુદ્ગલનું પરિણમન નિરંતર થયા કરે છે. સ્થૂળ સૂક્ષ્મ પરિણમન થતાં પુદ્ગલ પણ બદલાઈ જાય છે. આજે લીલી દેખાતી કેરી કોઈના કંઈ પણ પ્રયત્ન વગર પીળી બને છે. પીળી કેરી સમય જતાં સડવા માંડે છે. વળી એ પુદ્ગલ કોઈ નવું જ રૂપ ધારણ કરે છે. એ પુદ્ગલને તું વશ રાખવા ઇચ્છે તો તે બની શકે તેમ નથી. કારણ કે તેનું પરિણમન સ્પર્ધાદિરૂપ છે. તારું પરિણમન જ્ઞાનાદિ ગુણે સ્વતંત્ર છે.
પુલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org