SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ અવસ્થા -પર્યાય તેના સ્વભાવથી બદલાતી રહે છે. છતાં આત્મા હવે નિત્યપણે પ્રગટ થયો હોવાથી પલટાતી અવસ્થાથી આત્માને કંઈ પલટાવવાનું રહેતું નથી. સર્વજ્ઞના જ્ઞાન સિવાય જગતના વિરાટ, વિશદ, વિષમ કે શમ, વિશેષ અને સામાન્ય જેવાં ગૂઢ રહસ્યો કોણ કહી શકે ? આત્માનું સૂક્ષ્મ સ્વરૂપ તેના અસંખ્ય પ્રદેશો છે. પુદ્ગલનું સૂક્ષ્મ સ્વરૂપ પરમાણુ છે. કાળનું સૂક્ષ્મ સ્વરૂપ સમય છે. આ ત્રણની અતિ સૂક્ષ્મતા-પર્યાયો કેવળજ્ઞાન સિવાય અન્ય ચાર જ્ઞાનમાં પ્રતિબિંબિત થતી નથી. આ કેવળજ્ઞાનની શુદ્ધતા અને સૂક્ષ્મતાની અદ્ભુતતા છે. જગતના જીવો ગમે તેવી બુદ્ધિમત્તાવાળા હોય તો પણ આવું સૂક્ષ્મ સ્વરૂપ જાણી શકતા નથી. વળી જગતમાં જે જે અરૂપી પદાર્થો છે તેને પણ આ ચાર જ્ઞાન જાણી શકતા નથી. કેવળજ્ઞાનમાં તે અરૂપી પદાર્થો પ્રકાશે છે છદ્મસ્થ જીવોને તે તે પદાર્થોનું જ્ઞાન શ્રુતજ્ઞાન દ્વારા આંશિક પ્રાપ્ત થાય છે. શુભથી અશુભ અશુભથી જે શુભ, મૂલ સ્વભાવે થાય. ધર્મ પાલટન પુદ્ગલનો ઇમ, સદ્ગુરુ દીયો બતાય. ૭૧ જગતના જીવોની ચિત્રવિચિત્રતાઓ, શમ-વિષમતાઓ સુખદુઃખ, હર્ષ-શોક, હસવું-રડવું, કે નિરોગી-રોગી જેવા પ્રકારોનો સ્રોત આ શુભાશુભ ભાવમાંથી વહે છે. સમસ્ત વિશ્વ આ શુભાશુભ પરિણામમાં વહ્યું જાય છે. ક્યારે શુભ યોગનું તેનું પુણ્ય ક્ષીણ થઈ, પલટો મારી જીવને અશુભ યોગમાં મૂકી દેશે તે જ્ઞાની સિવાય કોણ પારખી શકે ? શુભ યોગે જીવ સુખ ભોગવે, અશુભયોગે જીવ દુ:ખ ભોગવે. પણ આ શુભ-અશુભ કોણ કરે છે ? અથવા શુભથી અશુભ અને અશુભથી શુભ તરફ કોણ લઈ જાય છે. જીવને એ ક્યારથી મળ્યા છે ? અનાદિકાળથી જીવ શુભાશુભ ભાવનાના ઝૂલે ઝૂલતો રહ્યો છે. પોતાના જ પરિણામની આ ફળશ્રુતિ છે. સુકૃત્ય જેવાં નિમિત્તોથી ૧૧૪ Jain Education International પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy