________________
પદાર્થ માત્ર દ્રવ્યગુણ અને પર્યાય યુક્ત હોય છે. દ્રવ્ય એ મૂળ પદાર્થ છે. એ પદાર્થમાં સર્વત્ર અને સર્વથા રહેલા ગુણ છે. તે ગુણોનું વ્યક્ત થવું તે પર્યાય છે.
જેમકે આત્મા દ્રવ્ય છે, જ્ઞાન તેનો ગુણ છે. અને મતિ આદિ જ્ઞાન તે પર્યાય છે.
આત્મા દ્રવ્ય છે, શુદ્ધતા-સિદ્ધપણું તે તેનો ગુણ છે અને મોક્ષસ્વરૂપે પ્રગટ થવું તે આત્માની અવસ્થા છે.
આત્મા દ્રવ્ય છે. સમ્યગ્દર્શન ગુણ છે અને શ્રદ્ધાએ અવસ્થા છે. લાકડું એ દ્રવ્ય છે, સ્પર્ધાદિ કઠણ-પોચું તે તેના ગુણ છે. તેમાંથી બનતા સાધનો તે તેની અવસ્થાઓ છે. - સાકર એ પદાર્થ છે. ગળપણ, જેતપણું તે તેનો ગુણ છે અને ગળપણ તરીકે વ્યક્ત થવું તે તેની અવસ્થા છે.
ગુણ અને દ્રવ્યનો ભેદ એ છે કે ગુણ પદાર્થના સર્વ ભાગમાં સર્વથા રહે છે. જ્યારે પર્યાય એ પલટાતી ક્રિયા છે. માટે જ્ઞાનીજનો કહે છે કે દૃષ્ટિ દ્રવ્ય કે ગુણ તરફ રાખો. પર્યાય પલટાય છે, અસ્થિર છે, ક્ષણિક છે. ત્યાં દૃષ્ટિ રાખવાથી કોઈ સાધનનું સાતત્ય જળવાતું નથી. જેમ કે તમે એક વ્યક્તિની પ્રકૃતિને લક્ષમાં રાખીને અભિપ્રાય બાંધ્યો કે એ વ્યક્તિ માયાવી છે. આ માયાવીપણું તે ગુણ નથી પણ અવસ્થા છે. પર્યાય છે. સંભવ છે તે વ્યક્તિમાંથી માયાની પ્રકૃતિ નષ્ટ થતાં તેનામાં સરળતા ગુણ પ્રગટ થયો. હવે તમારો અભિપ્રાય તો તેની જૂની અવસ્થા પર હતો. અવસ્થા બદલાઈ ગઈ પણ તમારો અભિપ્રાય ન બદલાયો. - પર્યાય પણ શક્તિયુક્ત તત્ત્વ છે. દ્રવ્ય જો સતરૂપે ન હોત તો નાશ પામી જાય. ગુણ સર્વત્ર ન હોય તો જ્ઞાન આત્માના અમુક ભાગમાં રહે અને અમુક ભાગમાં ન રહે. તો જ્ઞાનનું સમગ્રપણું નાશ પામે. પર્યાય પલટાતો ન રહે તો સંસારી મટી જીવ સિદ્ધ ન થાય. આમ દ્રવ્ય ગુણની જેમ પર્યાયની પણ એક શક્તિ છે. વળી જે આત્મા કર્મમુક્ત થઈ મોક્ષસ્વરૂપે પ્રગટ થાય છે તેની
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
૧૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org