SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ છે. સિંહાસન સોના રૂપા કે હીરાનું ઘણું મૂલ્યવાન હોય તોપણ તે પુદ્ગલ છે. પુદ્ગલના વિવિધ વિકાર જોઈ તેનો ભોક્તા તેને સુખનાં સાધન માને છે. તેથી તેની મૂચ્છ છોડી શકતો નથી. પુદ્ગલટુંકા કિલા કોટ અરૂ, પુદ્ગલટુંકી ખાઈ, પુદ્ગલહુંકા દારૂ ગોલા, રચપચ તોપ બણાઈ. ૭૯ પુદ્ગલે જગતમાં સર્વત્ર હસ્તક્ષેપ કર્યો છે. અરે તમે કિલ્લાને કોટ જુઓ, આશ્ચર્ય પામો. સામાન્ય માનવી તાળો મેળવી ન શકે તેવી ઊંડી ખાઈ જુઓ. સર્વ પુદ્ગલનું પરિણમન છે. પુદ્ગલના પદાર્થો મેળવીને દારૂગોળો બન્યા કે તેની તોપ બનાવી સર્વે પુગલના ખેલ છે. પુદ્ગલરાગી થઈ ચેતન, કરત મહા સંગ્રામ છલ બલ કલ કરી એમ ચિંતવે, રાખું અપણું નામ. ૮૦ પુદગલની પોતાની પરિણમન શક્તિ દ્વારા વિવિધતા જોઈ જીવ તે તે પદાર્થો પ્રત્યે આકર્ષિત થઈ રાગ પેદા કરે છે. વળી મોટાં રાજ્યો, તેના વૈભવ, સિંહાસનો આદિ મેળવવા મોટા સંગ્રામ ખેલે છે. વળી તેને માટે માનસિક સંતાપરૂપી સંગ્રામ ખેલે છે. અને જડ પદાર્થો જાણે તેનો પ્રાણ હોય તેમ તે મેળવવા માટે છળ, પ્રપંચ કરે છે. ક્યાંક બળ વાપરે છે. ક્યાંક કળ વાપરીને પણ પોતાનું નામ અમર કરવા માંગે છે. જે નામ જ વિનાશને આધીન છે તે તને અમર કેવી રીતે બનાવશે ! તું જ વિચાર કે મોટા ભૂપતિ, ચક્રવર્તીઓ પણ નામને અમર કરી શક્યા નથી. પૃથ્વી પર જન્મ્યા, અને ચિરવિદાય થયા. તેમની મૃતિ ફક્ત તેમનાં સુકૃત્યોથી જળવાય છે. જેઓએ પુદ્ગલથી સંપૂર્ણપણે મુક્ત થઈ પોતાનું સિદ્ધત્વ પ્રગટ કર્યું તેઓ અમર થયા. તેમના દેહ અમરત્વ પામ્યા નથી. પછી તું નામ રાખવા વ્યર્થ પ્રયત્ન શા માટે કરે છે ? અનામી અમર છે. નામીનું સર્વ વિનાશી છે. પુગલના રાગી કેવી મૂર્ખાઈ કરે છે ? તે તે પદાર્થો મેળવવા, મેળવીને સાચવવા બહારથી તો દુ:ખ ભોગવે છે. પરંતુ આંતરિક ૧૨૨ પુદ્ગલનો પરિહાર: પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy