________________
યુવાન, પછી વૃદ્ધ થાય છે. આત્મા એ જ છે, અવસ્થા બદલાય છે. અવસ્થાઓ ક્ષણિક કે સમયવર્તી છે. પદાર્થ સ્વભાવે નિત્ય છે.
તીર્થંકરે સમગ્ર વિશ્વ સ્વરૂપ સ્વાયત્ત જોયું અને સમજાવ્યું કે જગતમાં ક્યારેય નવો પદાર્થ ઉત્પન્ન થતો નથી. મૂળમાંથી નાશ પામતો નથી. પરંતુ મૂળ પદાર્થની પૂર્વ અવસ્થાનો નાશ થાય છે. અને નવી અવસ્થા ઉત્પન્ન થાય છે.
અર્થાત્ ઉત્પન્ન થવું, વ્યય થવો, ધ્રુવપણે ટકવું. પદાર્થનું ટકવું તે તેનો નિત્ય ગુણ છે. અવસ્થાઓ બદલાઈ જવી તે અનિત્ય ગુણ છે. આવા વિરોધ લક્ષણથી પદાર્થમાં અંતર જણાય છે. છતાં નિત્યાનિત્ય જેવાં લક્ષણોનો એક જ પદાર્થમાં સમાવેશ થાય છે. જે આત્માને સ્વભાવે નિત્ય માન્યો તેને અવસ્થાભેદે અનિત્ય માનવામાં આવે છે. એક પદાર્થમાં બંને લક્ષણ સમાનભાવે રહે છે. અને વિશેષતા એ છે દરેક લક્ષણ પોતાનો સ્વભાવ છોડી દેતો નથી. કદાચ પ્રશ્ન થાય કે એક જ પદાર્થમાં વિરોધી લક્ષણો કેવી રીતે શમાય ? એકાંત પક્ષથી વિચારતાં સમાધાન નહિ થાય પરંતુ સ્વાદદ્વાદ શૈલીથી વિચારતા સમાધાન થશે.
સાદાદ =
સ્યાત્ અપેક્ષા સહિત, વાદ = બોલવું વિચારવું. જગતના દરેક પદાર્થોને જાણવા માટે અપેક્ષા જરૂરી છે. જગતનું સ્વરૂપ નિરપેક્ષ નથી. જગતના પદાર્થોમાં નિત્યતા છે આ નિત્યતા છે, નિર્બળતા છે તો સબળતા છે. અસત્ છે અને સત્ પણ છે. વસ્તુ નાની છે મોટી છે.
=
આ ભેદમાં જ અપેક્ષા રહી છે. વસ્તુને તમે સાચી કેમ કહો છો ? ખોટાની અપેક્ષાએ.
વસ્તુને તમે નાની કેમ કહો છો ? મોટાની અપેક્ષાએ.
ક્ષમાધારણ કરવામાં અપેક્ષા ક્રોધની પ્રકૃતિ સામે છે. ક્યારે કોઈ વસ્તુ કે વચનમાં એકાંત નથી પરંતુ અપેક્ષાએ યુક્ત જિનેશ્વરે નિરૂપણ કર્યું છે. સ્યાદ્વાદ શૈલી એ જૈનદર્શનની અદ્ભુત પ્રણાલિ છે. તેના આધારે ક્યાંય સઘર્ષની સંભાવના રહેતી નથી.
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
૧૧૧
www.jainelibrary.org