________________
છે તે દેખાય છે.
આવા પુદગલ માત્રના ભેદ છે, સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ (બંધ) સ્કંધ – એટલે પૌલિક પદાર્થનો પૂરો ભાગ જેમકે એક પર્વત પછી ભલે રાઈનો દાણો હોય કે પુસ્તક હોય. તેના પૂરા ભાગને સ્કંધ હોય છે.
દેશ – પર્વતમાં શિલાઓ અડી અડીને રહી છે. તે પર્વતની અપેક્ષા એ પર્વતનો દેશ ભાગ છે. (શિલા સ્વયં પણ સ્કંધ છે. પુસ્તકનાં પાનાં પુસ્તક છે પરંતુ પુસ્તકનો એક ભાગ છે તે જોડાઈને રહ્યો છે.)
પ્રદેશ, પર્વતના પદાર્થના સૂક્ષ્મ ભાગ, રજકણ જે ચક્ષુગોચર નથી તેવી સૂક્ષ્મ રજકણ જે પર્વત કે શિલામાં જોડાઈને રહી છે.
પરમાણુ – અતિ સૂક્ષ્મ ભાગ, ચક્ષુગોચર નથી, પરંતુ પ્રદેશની જેમ જોડાયેલો નથી. છૂટો પડેલો છે.
પુદ્ગલનું આવું સ્વરૂપ જાણીને જીવ વિચારે કે આમાં તું કંઈ ફેરફાર કરી શકે તેમ નથી. આ એક સ્વતંત્ર રચના છે. તો પુદ્ગલની માયા છૂટે. નિત્યઅનિત્યાદિક જે અંતર, પક્ષ સમાન વિશેષ સ્યાદ્વાદ સમજણની શૈલી, જિનવાણીમેં દેખ.
જગતમાં કોઈ પદાર્થ મૂળમાંથી નાશ પામતો નથી. પરંતુ તેની અવસ્થા પરિવર્તન પામે છે. જેમકે માટીમાંથી ઘટો બન્યો, ઘડામાંથી ઠીકરાં બન્યાં. તે બંને અવસ્થામાં માટીનું અસ્તિત્વ હતું. અને ઘડો એ અવસ્થા હતી. માટી નાશ ન પામી પણ તે પિંડ પરિવર્તિત થયો. તેવી રીતે રૂ, રૂમાંથી સૂતર બન્યું. સૂતરમાંથી કાપડ બન્યું. તેમાં મૂળસ્વરૂપે રૂ નાશ પામતું નથી પરંતુ તેની અવસ્થાઓનો આકાર બદલાય છે. અર્થાત્ દરેક પદાર્થ ટકીને બદલાય છે એ સનાતન નિયમ છે.
એ જ રીતે આત્મા. સ્વરૂપે નિત્ય પરંતુ આયુષ્યકર્મના આધાર પર મરણ પામી નવો જન્મ ધારણ કરે છે. વળી બાળક મટી
૧૧૦
પુલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International