________________
પરંતુ આ ચક્ષુ વડે જોતાં તું ધરાતો નથી. ઘણી વાર તો એવા સ્થાનોએ વારંવાર જાય છે. એવા પૌદ્ગલિક પદાર્થોનું આકર્ષણ તારામાં પેદા થયું છે. તું તે સિવાય કંઈ જોઈ કે જાણી શકતો નથી. તેથી આત્મા કે પરમાત્મા રૂપી પદાર્થને ક્યાંથી જાણે ?
દેહપિંડથી આકાર પામેલો તું તને દેહ જ માને છે. તેથી તે પિંડના બંધનથી છૂટવું સૂઝતું નથી. કેટલીયે વાર દેહ તને છોડી દે છે પણ તું દેહને ક્યારે પણ છોડવા તૈયાર થતો નથી. તને આ પિંડ બંધનરૂપ લાગે છે ? જ્યાં બંધન લાગતું નથી ત્યાં છૂટવાનું શું હોય ? ભલે ભાઈ ! તું તેને છોડવા ન ઇચ્છે તે સ્વયં વિખરાઈ જશે. માટે ચર્મચક્ષુ વડે જોવાયેલા પદાર્થોનો વિશ્વાસ રાખી પૂરું જીવન તેમાં વ્યતીત કરતો નહિ. સ્વપ્નમાં જોયેલા જગતની જેમ તને ચક્ષુ વડે જોયેલું જગત સાચું લાગે. પણ જો તું સાચાની કે સત્યની પરિભાષા જાણે તો સમજજે કે સત્ય ક્યારે પણ નાશ પામતું નથી.
ચૌદે રાજલોક ધૃતઘટ જિમ, પુદ્ગલ દ્રવ્યે ભરિયા બંધ, દેશ પરદેશ ભેદ તસ, પરમાણું જિન કરિયા.
૬૮
જૈનદર્શનની દૃષ્ટિએ વિશ્વ પુરુષાકારે છે, તે ચૌદ રજ્જુ પ્રમાણ છે. રજ્જુ (યોજનો યુક્તમાપ) તેમાં સાત રજ્જુ પૃથ્વી નારકીની છે. મનુષ્ય અને તિર્યંચનો વાસ એક રજ્જુ પ્રમાણ છે. અને છ રજ્જુ સ્વર્ગલોકનો છે. આવા ચૌદ રાજના પ્રદેશનો એક પણ ખૂણો એવો નથી, અરે એક સૂક્ષ્મભાગ પણ એવો નથી જ્યાં આ પુદ્ગલનું સામ્રાજ્ય ન હોય. ઘડામાં ભરેલું ઘી જેમ ઘડાના પૂરા ભાગમાં વ્યાપીને રહ્યું છે તેમ આ વિશ્વ પુદ્ગલથી ભરેલું છે.
વિશ્વની રચનામાં છ દ્રવ્યો છે. તેમાં પાંચ તો અરૂપી છે. પોતપોતાના લક્ષણ યુક્ત છે. તે પણ પૂરા વિશ્વમાં વ્યાપીને રહેલા છે. તેમાં એક જ દ્રવ્ય-પદાર્થ રૂપી છે તે પુદ્ગલ છે. સામાન્ય બુદ્ધિમત્તાવાળા જીવો પેલા અરૂપી પદાર્થને જોઈજાણી શકતા નથી. રૂપી પુદ્ગલને તે જાણી શકે છે તેથી તેમાં જ ગૂંચાઈ જાય છે. કારણ કે એ જ્યાં નજર રાખે ત્યાં તેને દશ્ય જગત જે પુદ્ગલરૂપ
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
૧૦૯
www.jainelibrary.org