SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ગુમાવીને પૌદ્ગલિક પદાર્થોની તુચ્છતામાં પડવા જેવું નથી. નિજસ્વરૂપ પ્રાપ્તિમાં જ તેને સાર્થકતા લાગે છે. પુદ્ગલના મમત્વમાં મેં મારા સ્વરૂપને કેદ કર્યું હતું. જો એ મમત્વનો પરિહાર કરું તો હું સ્વયં પૂર્ણ છું. અનેક જન્મોથી જીવનો જોગ જડ, નામ અને રૂપ સાથે છે. દિશાથી પાછો ન વળે તો તેને નિષ્ફળતા જ મળવાની છે. વળી દેહ તે જ હું છું તેમ માની જન્મ જરા મરણ અને અનેક વ્યાધિઓ સ્વીકારી લીધી. અનાત્મા એવા દેહને નિત્ય માની તેની સાથે દૃઢ મૈત્રી કરી લીધી. દેહ અને આત્મા બંને વિરુદ્ધ લક્ષણવાળાનો યોગ મોહને કારણે થયો છે. આથી અહીં જણાવે છે કે આ તમામ પૌલિક પદાર્થો તું ગમે તેટલા રક્ષિત રાખે તે ટકી શકે તેમ નથી. તે તેના ધર્મ પ્રમાણે રહે છે. મલ્યા પિંડ દેહને બંધે બે' કાલે વિખરી જાય ચરમ નયણ કરી દેખિયે તે, સહુ પુદ્ગલ કહેવાય. ૬૭ બે' (હે ચેતન !) જેને આ પુદ્ગલપિંડની પ્રાપ્તિ થઈ તે સર્વ કર્માધીન હોય છે. તે કર્મો વળી કાળને આધીન છે. તેથી જે પિંડને તું રાખવા ઇચ્છે તે કાળને આધીન વિખરાઈ જાય છે. અગ્નિસંસ્કાર વડે રાખ બને છે. કર્મ વડે તું આ પુદ્ગલના પિંજરમાં બંધાય છે. તેને તું પરાધીન રહી છોડી શકતો નથી. એટલે તે ટકાવવા પ્રયત્ન કરે છે. પણ તેમાં કોઈ સફળ થયું નથી, થવાનું નથી. કારણ કે ટકવાવાળો પદાર્થ તેનાથી ભિન્ન છે. દેહમાં રહેલો તદ્દન નિકટ છે છતાં તું તેને જાણતો નથી. આ વિશ્વના દર્શન માટે તને ચર્મચક્ષુ મળેલાં છે. તે વડે તું જે કંઈ જુએ છે તે સર્વ પુદ્ગલની રમત છે, પથારો છે. જો તું અંતરચક્ષુ વડે જુએ તો તને વિશ્વનું દર્શન અલગ લાગશે. ચર્મચક્ષુ વડે જણાતા પુદ્ગલના પદાર્થોમાં ચકિત થઈ જાય છે, ખોવાઈ જાય છે. તું મોટા બજારમાં જાય ત્યાં તારે લેવાનું તો ઘણું અલ્પ છે. १०८ Jain Education International પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy