________________
જેવા અલંકાર પણ ઘસાઈ નાશ પામે છે. આજે પર્વત છે ત્યાં કોઈ કાળે નદી હતી. આજે કોઈ જગાએ જયા મોટી ભેખડો છે ત્યાં કોઈ જગાએ મહેલાતો હતી.
અયોધ્યા નગરીમાં ચક્રવર્તીના મહેલો હતા. મોટી હવેલીઓ હતી તે જગાએ આજે ધૂળ-કાંકરા પડ્યા હશે. તે ઋષભદેવાદિ યોગીજનોના શરીર અત્યંત શક્તિયુક્ત સૌન્દર્યવાન પવિત્ર હતાં છતાં રાખી શકાયાં નથી કારણ એ પદાર્થોનો ધર્મ જ વિનશ્વર છે. તેને કેમ રાખી શકાય? પુદગલ એને જ કહેવાય છે કે જે નાશ પામે છે. એમાં કોઈ સર્જનતા નથી. પૌલિક પદાર્થોની વાસનાનો વિનાશ એ સર્જન છે. વાસનાનો અંત આવતા જન્મમરણની પળોજણનો અંત આવે છે. આ વાસના મનમાં તરંગ પેદા કરે છે. વાસનાની આસક્તિ જીવની દશાને સ્વભાવને અને દિશાને બદલી નાખે છે. આત્માની દશા છે નિર્મળ વાસના જે તેને નિર્બળ બનાવે છે. આત્માની દિશા છે મુક્તિ. વાસના તેને સંસારની વાટ પકડાવે છે. અને તેથી સ્વતંત્ર એવો સમ્રાટ આત્મા દોલત, પ્રતિષ્ઠા, સત્તા જેવા પૌદ્ગલિક પદાર્થોની પાછળ દોડે છે.
પૌગલિક પદાર્થોનો પરિચય આદિ અને અંતવાળો છે. તેને માટે અન્ન જીવ અનંત સુખ ગુમાવે છે. જેમ કાયાની છાયા સાથે કોઈ દૈહિક વ્યવહાર નભી શકતો નથી. તેમ જીવ અને પુદ્ગલનો સમાન વ્યવહાર ટકી શકતો નથી. આ જન્મમાં કંઈ આ પ્રથમ પ્રયાસ કે પરિશ્રમ નથી. જન્મોજન્મ એ પ્રયાસ કર્યો છે પણ તને તેમાં નિષ્ફળતા મળી છે. સંસારમાં સુખ બહારથી આવે છે માટે માનવ તે શોધવા બહાર ફરે છે. અને દુઃખ કોઈના નિમિત્તથી થાય છે. માટે તેનું કારણ બહાર શોધે છે. વાસ્તવમાં સુખ કે દુઃખ સાધન મુખ્ય છે તે સર્વ જડનો અનુભવ છે. તેમાં ચેતનનો સ્પર્શ નથી. તમામ ક્ષણિક પદાર્થો જીવને ભ્રમ પેદા કરે છે કે જાણે કાયમ ટકવાવાળા છે. મોટા ભાગના જીવોનું વલણ આવું છે. પરંતુ જેને સ્વરૂપની પ્રાપ્તિનું લક્ષ્ય છે તેને તેના જ ભાવો થાય છે. અને તે સ્વરૂપની પ્રાપ્તિની તાલાવેલીમાં તે સમજે છે કે આ વૈભવ
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
૧૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org