SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. જડ એક તત્ત્વ છે. તે પુરણ અને ગલન સ્વભાવવાળું છે. તે પોતારૂપે પરિણમે છે. પણ જીવ તે જાણી શકતો નથી. જોકે આત્મા જડ સાથે રહેવા છતાં જડરૂપે પરિણમતો નથી. સ્વરૂપમાં જ રહે છે. વર્તમાનની અવસ્થામાં તે જડની ચિત્રવિચિત્ર લીલામાં ફસાઈ ગયો છે વળી, સંસારી જીવ કર્મપ્રકૃતિથી જાતિ, ગતિ કે કોઈ પણ અવસ્થામાં ઓળખાય છે. જીવ જ્યારે પુદ્ગલથી મુક્ત થાય ત્યારે સ્વસ્વરૂપ ઓળખાય છે. અર્થાત્ જીવ શિવસ્વરૂપે ઓળખાય છે. ત્યાં સુધી તો તે સંયોગ વિયોગના ઝૂલે હર્ષ શોક પામે છે. છાયા આકૃતિ તેજ દ્યુતિ સહુ, પુદ્ગલ કી પરજાય, સડન પડન વિધ્વંસ ધર્મ એ, પુદ્ગલકો કહેવાય. ૬૬ પુદ્ગલના મુખ્ય લક્ષણ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ છે. આ પુદ્ગલ પૃથ્વી પર ઘણું વ્યાપક છે. તેથી તેનાં લક્ષણો પણ વ્યાપક છે. માનવ કે પ્રાણીમાત્રાની છાયા કે દર્પણમાં પડતું પ્રતિબિંબ તે પુદ્ગલને આશ્રયીને છે. કારણ કે કાયા પુદ્ગલ છે તેમ તેની છાયા પણ પૌદ્ગલિક છે. પુદ્ગલ સ્કંધોનો સમૂહ પ્રકાશના નિમિત્તથી તદાકાર પ્રતિબિંબિત થાય છે. આકૃતિ, કોઈ પણ પદાર્થની આકૃતિ, વિશ્વમાં રહેલા મોટા પર્વતો કે નાનો રાઈનો દાણો એ સર્વ પુદ્ગલના પ્રકારો છે. તેજ એટલે પ્રકાશ ભલે તે સૂર્યના કિરણરૂપ હોય છતાં તે ચક્ષુગોચર છે. અને પૌદ્ગલિક છે. દ્યુતિ એટલે બુદ્ધિ પ્રતિભા કે વિચારશક્તિ તે પણ મનોવર્ગણાના પુદ્ગલોનું સર્જન છે. આ ઉપરાંત અંધકાર જેવા પદાર્થો પણ પૌદ્ગલિક છે. આ સર્વ પુદ્ગલના પર્યાયો પળોજણ વળગાડ છે. તને ભૂત વળગ્યું હોય તો કેવો મુંઝાય, પણ આ ભૂતથી તું ક્યારે પણ મુંઝાયો નથી. પણ તે પ્રિયમાં પ્રિય વસ્તુ હોય તેમ મનમાં રાખીને જાણે ડોકે વળગાડીને ફરે છે. ૧૦૬ પ્રથમ તો વિચાર કે કેટલા દેહ ધારણ કર્યા. તે સડ્યા, પડ્યા, નાશ પામ્યા. દેહ માટે વસાવેલાં વસ્ત્રો સડ્યાં નાશ પામ્યાં, સોના - Jain Education International પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy