________________
અને મુક્ત થાય તો દુઃખ પામે. તેમનામાં આવા હર્ષ-શોક કે રાગદ્વેષના કંઠનો અભાવ હોવાથી, પ્રારંભમાં તેઓ એ પદાર્થને છોડે છે, પછી એ પદાર્થો સ્વયં તેમને છોડી દે છે.
આ સમસ્ત સંસારના પ્રાણીને મોહ વળગ્યો છે. જ્યારે ભગવાન સ્વર્યા મોહને એવા નડ્યા કે મોહે તેમને છોડી દીધા. કૃશકાય દેહીને સોજા આવવાથી તે તંદુરસ્ત ગણાતો નથી, તેમ પુદ્ગલરૂપી જડ પદાર્થોની વિપુલતાથી માનવ સુખી ગણાતો નથી. તો પછી તેનો ત્યાગ કરવામાં હર્ષ-શોક શું ? સમગ્ર સૃષ્ટિમાં માનવદેહની મહત્તા શા માટે છે ? આ ઉત્તમતા માનવાની સમજમાં આવી ન હોય. કારણ કે માનવચેતનાનો મોટો ભાગ દેહદૃષ્ટિની વિશેષતાવાળો છે. આત્મદષ્ટિ મહાપુણ્ય યોગ કોઈ વિરલ જીવોમાં જ હોય છે. દેહદૃષ્ટિવાળો ઉપાસ્ય પૌદ્ગલિક પદાર્થો છે. તેની બુદ્ધિમાં દેહ જ . આત્માનું રૂપ છે. તેનું કોઈ જુદુ મહાસ્ય તેને સમજાયું નથી. તેથી તેઓનો આત્મિક વિકાસ થતો નથી. કેવળ દેહના સજવામાં હર્ષ માને છે. તેને સજવાના પદાર્થો ન મળે તો શોકમાં ગરકાવ થઈ જાય છે.
પુદ્ગલાનંદી જીવોને બીજી બાજુ સમગ્ર સૃષ્ટિમાં માનવદેહ જેવો બુદ્ધિમાન, બીજો દેહ દેખાતો નથી. ભલે વન્ય પશુઓ જોરાવર હોય પણ તેને પિંજરમાં પુરવાનું કામ માનવદેહ કરી શકે છે. આત્માને મરણના પ્રસંગથી જુદો માને તો પણ અનાદિકાળનો દેહનો સંસર્ગ અને સંસ્કાર પોતાને દેહરૂપ માની લે છે. તેથી તે દેહની વાસનાથી છૂટો પડી શકતો નથી.
આ પ્રમાણેની માન્યતાને કારણે જીવ મનગમતા પદાર્થો મળે હસે છે, નાચે છે, હરખાય છે. અને જ્યાં તે પદાર્થો છૂટી ગયા કે બિચારો રાંક થઈ રડે છે, મુંઝાય છે. જડવસ્તુની હાનિ વૃદ્ધિથી તે હર્ષ-શોક પામે છે.
અનાદિકાળથી આ જડ અને ચેતન દૂધપાણીની જેમ ઓતપ્રોત થઈ રહ્યા છે. સ્વયં જીવથી તે જડ જુદું ઓળખાતું નથી. સંસારની રચના જ એવી છે. તેનું સાચું સ્વરૂપ જીવના કળવામાં આવતું
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિા
૧૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org