SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ નિરોધ કરી ચૌદમું ગુણસ્થાન પામે. આવા સર્વ ભેદ પુદ્ગલ - બાહ્ય દેહાદિકના સંયોગથી છે. ચેતનમાં કોઈ ભેદભાવ નથી. આમ પુદ્ગલ-દેહ ધર્મનું સાધન બને છે. તેથી ભૂમિકા પ્રમાણે ભેદ દર્શાવ્યા છે. સિદ્ધપદમાં કોઈ ભેદ નથી. તે અવસ્થા જ અભેદ છે. જેવું સ્વરૂપ છે તેવી રમણતા છે. કયા સિદ્ધ મોટા કે નાના છે, વહેલા કે મોડા છે. ઊંચા છે કે નીચા છે. જ્ઞાની છે કે અજ્ઞાની છે, આવો કોઈ ભેદ શુદ્ધપણે પ્રગટ થયેલા ચેતનમાં નથી. વળી સ્વભાવગત પણ કોઈ ભેદ નથી. પાણી માંહ ગલે જે વસ્તુ, જલે અગ્નિ સંયોગ, પુદ્ગલ પિંડ જાણ તે ચેતન, ત્યાગ હરખ અરૂ સોગ. ૬૫ જગતના પદાર્થોની પણ ગજબની પરિવર્તનશીલતા છે. લોખંડ જેવો કઠણ પદાર્થ પાણીમાં મૂકી રાખો કાટ ખાઈને ઓગળવા માંડશે. એ પદાર્થ અગ્નિના સંયોગે ગળવા માંડશે. ચેતન અનુકૂળ પુદ્ગલપિંડના સંયોગે હરખાય છે. અને વિયોગે શોક પામે છે. ભલે જડ હોય, પણ લોખંડ જેવા કઠણ પદાર્થની અન્ય પદાર્થના સંયોગે આવી ગળવાની અને જળવાની ક્રિયા બને છે. ચેતન ગમે તેવું સ્વભાવે સૂક્ષ્મ અને શુદ્ધ છતાં પુગલસંયોગરૂપી કહેવાય છે. અને કર્મના સંયોગ અશુદ્ધ કહેવાય છે. અને વળી ચેતન સ્વયં ગુણ કરી આનંદસ્વરૂપ હોવા છતાં હર્ષ-શોક કરે છે. જે તારું નથી તેના ત્યાગ, સંયોગ કે વિયોગમાં હર્ષ-શોક કરવા જેવું શું છે ? તું લોખંડની જેમ જડ કે કઠણ નથી કે સંયોગ-વિયોગમાં ગળે કે જળે ? વાસ્તવમાં જડ પદાર્થો મેળવી કે ગુમાવીને હર્ષ કે શોક કરવા જેવો નથી, તેથી તો તેના ત્યાગી એવા વિરક્ત પુરુષોને એ પદાર્થોની ઝંખના નથી કે તેના વિયોગમાં હર્ષ-શોક પણ નથી. વિશ્વના ઉત્તમમાં ઉત્તમ પૌલિક પદાર્થોનો સમૂહ તીર્થકરની આજુબાજુ હોય છે. સિહાસન, ચામર, છત્ર વગેરે અતિશયો છતાં તેમણે તેમાં હર્ષ અનુભવ્યો નહિ. જો તેના સંયોગમાં સુખ માને તો મુક્ત ન થાય. ૧૦૪ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy