________________
જીવના પરિણામ હોય છે. લેશ્યા લેવા આવે અને કાર્યણકાયયોગ જીવને અન્ય ગતિમાં લઈ જાય છે. આ સઘળાનાં મૂળમાં પુદ્ગલ પરિચયની મૂર્છા છે.
હે સુજ્ઞ ! આ કાળમાં આપણાં જીવન કેટલાં ટૂંકાં છે ? તેમાં કેટલું ગયું તે તું જાણે છે પણ કેટલું રહ્યું તે તું જાણતો નથી અને તેના ઉપર ભરોસો પણ રખાય તેમ નથી. માટે આત્મસાધનામાં પ્રમાદ રાખવા જેવો નથી. માન, મહાત્ત્વાકાંક્ષા શ્રીમંતાઈ જેવા પ્રલોભનોમાં રહી પુદ્ગલની ગુલામી કરવા જેવી નથી. પૌદ્ગલિક પદાર્થોમાં વૃત્તિઓ દોડે છે. મનની માંગ પ્રમાણે બસ દોડ્યા જ કરે છે. એ દોડને થોડો વખત થોભાવી દે અને વિચાર કે મને આ દોડમાં શું મળ્યું ? તારી બુદ્ધિ તને દલીલ કરશે. જો તારી કેટલી સંપત્તિ વધી. માન-સત્કાર વધ્યાં. પુત્રાદિ પરિવાર વધ્યો. અને તને કેટલી કેટલી તકો મળશે, માટે દોડ. અને તને એ બુદ્ધિની વાત ગમી જશે. ત્યારે તું સદ્બોધને મુલતવી રાખીશ. કારણ કે તારાં પરિણામ તારી લેશ્યા તને તે તરફ દોરી જશે.
-
ચઉદે ગુણસ્થાનક મારગણા, પુદ્ગલસંગે જાણો પુદ્ગલભાવ વિના ચેતનમેં, ભેદભાવ વિ આણો.
૬૪
આ પુદ્ગલની લીલા ગહન છે. સંસારમાં તો પુદ્ગલની છાપ લઈને ફર્યો. અને સિદ્ધલોકમાં ગયો ત્યારે કાયા પ્રામાણિકપણે છેલ્લા અવગાહનની – શરીર આકૃતિની છાપ મારી આપે. પૌદ્ગલિક રીતે નિરાકાર છતાં છેલ્લા પુર્દુગલ-અવગાહનની મહોર વાગે છે. ગુણસ્થાનક તો આંતરિક અવસ્થા છે, છતાં તે અવસ્થાને પ્રગટ થવામાં દેહનું અવલંબન છે, તેથી તેના ભેદ કહ્યા છે.
જેમકે એકેન્દ્રિયથી ચરિન્દ્રિય સુધી મિથ્યાત્વ ગુણ સ્થાન હોય. સંજ્ઞી પંચેન્દ્રિય ચારે ગતિનો જીવ સમકિત–ચોથા ગુણ સ્થાનને પામી શકે. છઠ્ઠું-સાતમું ગુણસ્થાનક મુનિપણાને ધારણ કરનાર સંયમ પાળનાર પામી શકે અને દેહમાં રહેલા સંયતિ મુનિ ઉપયોગની શુદ્ધિથી શ્રેણિએ આરૂઢ થઈ શકે. દેહધ્યાસનો ત્યાગ કરનાર ચારઘાતી કર્મોનો નાશ કરી તેરમા ગુણસ્થાનકે કેવળજ્ઞાન પામે. અને આખરે કાયાદિનો યોગ
પુદ્ગલનો પરિહાર ઃ પરમાર્થની પ્રાપ્તિ
:
Jain Education International
For Private & Personal Use Only
૧૦૩
www.jainelibrary.org