________________
થવાનો ઉપાય છે. અને તે સક્રિયા દ્વારા યોગશુદ્ધિ અને જ્ઞાન દ્વારા ઉપયોગશુદ્ધિ વડે શક્ય છે. મનુષ્યને મળેલા મનાદિ યોગો નિરંતર સક્રિય હોય છે. તે સાંસારિક પ્રયોજનમાં અશુદ્ધ હોય. તેને અહિંસાદિ ક્રિયામાં જોડવાથી શુદ્ધ બને છે. અને ઉપયોગમાં જે કષાયની મલિનતા છે તે જ્ઞાનવડે શુદ્ધ થાય છે.
પુદ્ગલ કે વશ એકેજિક બહુ, પંચેન્દ્રિયપણું પાવે, લેશ્યાવંત જીવ એ જગમેં, પુદ્ગલ સંગ કહાવે. ૬૩
મહદ્અંશે પાંચ ઇન્દ્રિયવાળા પ્રાણીને તો ખબર નથી કે તે પાંચ ઇન્દ્રિયોની પ્રાપ્તિ સુધી કેવી રીતે પહોંચ્યો છે. આ જીવનકાળના ગણતરીનાં વર્ષોને બાદ કર્યા પછી કે આવા ઘણા જન્મોને બાદ કર્યા પછી જ્ઞાનીજનોના જ્ઞાનમાં જીવનું જ સ્વરૂપ દેખાયું તેમાં પંચેન્દ્રિયપણું પામ્યા પહેલાનો ભૂતકાળ તો જીવે એકેન્દ્રિયપણામાં ગાળ્યો છે. એકેન્દ્રિયપણું એટલે કેવળ શરીર હોય. તેના રહેવાનાં સ્થાનો એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ-વનસ્પતિ. એ સ્થાનોમાં ઘણો લાંબો કાળ કે જેનું લેખું મંડાય તેવું નથી. એ સ્થાનમાં કેવળ શરીર જ સાધન હોવાથી અને તેમાં દીર્ઘકાળ રહ્યો હોવાથી પોતે ત્યાં ચૈતન્યરૂપે હતો છતાં પુદ્ગલને વશ પડ્યો હતો.
એ સ્થાનોથી વિકાસ કરતો પાંચ ઇન્દ્રિયની પ્રાપ્તિ સુધી પહોંચ્યો. પણ પૌલિક પરિચયના કારણે તેની વેશ્યા–અધ્યવસાય પણ પૌદ્ગલિક જેવી થઈ ગઈ. દેહાધ્યાસની લેગ્યાથી દેહ પામતો જ રહ્યો.
લેશ્યા શું છે જાણો છો ? કષાયરંજિત જીવના પરિણામને લેગ્યા કહે છે.
જીવના પરિણામની આ વેશ્યા જ અસંખ્ય પ્રકારે છે, પરંતુ શાસ્ત્રકારોએ તેના મૂળ બે ભેદ કહ્યા છે. તેના છ પ્રકાર છે.
બે ભેદ – શુભ – અશુભ લેશ્યા. શુભ લેશ્યા : તેજો, પધ, શુક્લ અશુભ લેશ્યા : કૃષ્ણ, નીલ, કાપોત
૧૦૧
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org