SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ભોજન મળે. અને આપણે જોઈએ છીએ કે કેટલાયે માનવીઓને પૂરતું ખાવા મળતું નથી. સૂવા ફાટેલી ગોદડી મળતી નથી. બીમારીમાં ઔષધ મળતું નથી. સુખી માણસને ખબર નથી સુખ ક્યારે દગો દેશે. પરાક્રમી રાજવી મેવાડના રાણી ખમા ખમા થતો દેશદાઝ માટે ઝઝૂમ્યો. એક દિવસ એવો આવ્યો કે સૂકા રોટલા માટે તેનો પરિવાર ટળવળતો હતો. દરિદ્ર દુઃખને દૂર કરવા પૂરી જિંદગી ઝઝૂમે પણ દુ:ખની મિત્રતા તેને છોડે નહિ. કેમ જાણે દુઃખે તેને શોધી લીધો હોય ! કર્મની આવી વિચિત્રતા અને પરાધીનતાના પનારે પડવું. તેના કરતા આ ચેતનનું સ્વાધીન સામ્રાજ્ય ઉત્તમ છે, હા તેમાં તારે બધું છોડવું પડે, ધનાદિની મૂછ ઓછી કરવી પડે. પુત્રાદિ પરિવારની પળોજણનો પાલવ પકડી ન રખાય. પણ પેલી દરિદ્રતા કરતાં તે સુખદ છે. દરિદ્રિને વસ્તુના અભાવનું અત્યંત દુઃખ છે. જ્યારે મળેલી વસ્તુનો ત્યાગ સુખદ છે. વસ્તુના અભાવમાં જીવ નિરંતર આર્તધ્યાન કરે છે. વસ્તુના ત્યાગમાં જીવને પ્રભુના માર્ગે ચાલવાનું સુખ છે. પૌદ્ગલિક સુખ અને દુઃખ વાસ્તવમાં દેહનાં રસાયણોની અસમતુલાના વિકારો છે. ભલે તેને શાતા અને અશાતાવેદનીય કર્મનો ઉદય કહો, અવિકારી એવો આત્મા પોતામાં આ સુખાદિને આરોપ કરે છે. તેથી પુનઃ કર્મથી બંધાય છે. જો તેને પૌલિક વિકારથી મુક્ત થવું હોય તો દેહ અને આત્માની ભિન્નતાનો અભ્યાસ કરવા તેવું જ્ઞાન મેળવવું પડશે. એ જ્ઞાન તો સ્વયં પોતાના સ્વભાવમાં છે. પરંતુ કર્મના આવરણથી તે દબાયેલું છે. તે આવરણ દૂર કરવા તેણે સદ્દગુરુના બોધવચનને પચાવવા પડશે. કર્મરૂપ આવરણની ક્ષીણતા આત્માને અત્યંત જરૂરી છે. કર્મઆવરણ તે સાંયોગિક અવસ્થા છે. જૂનાં કર્મોનો ઉદય, વળી નવાં કર્મોને ખેંચી લે છે. આમ એક ચક્ર ચાલ્યા જ કરે છે. તેમાં જીવની ફુરણા જ કારણ છે. કર્મોને ઉદયાધીન થવામાં તો સુખદુઃખનું યંત્ર ચાલુ જ રહેવાનું છે. એ અવસ્થાથી મુક્ત થવું તેમાં સુખ છે. શુભાશુભ કર્મની નિર્જરા, ક્ષીણતા તે જ દેહાદિના વિકારોથી મુક્ત ૧૦૦ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy