________________
નિમિત્ત વડે, પરમાત્માની ભક્તિ વડે, સરળતા જેવા ગુણો વડ, ભૌતિક જગતનાં સુખો મેળવીને કોઈ સુખ ભોગવે છે. અને તેના વિરુદ્ધ આચરણ કરી, અન્યને પીડા આપી, ધનસામગ્રી છતાં કૃપણતા સેવી અશુભબંધના પરિપાકે દુઃખ ભોગવે છે.
જગતમાં કોઈ કોઈને સુખ કે દુઃખ આપતું નથી, પરંતુ પોતાની જ કરેલી કરણી વડે જીવને તેનું ફળ ભોગવવું પડે છે. છતાં સાંસારિક સુખ એ વિલાસ છે. અને ત્યાગ એ વિકાસ છે. ભોગમાં પર પદાર્થો પરાધીનતા છે. ત્યાગમાં ત્યજી દેવાની સ્વાધીનતા છે.
પુદ્ગલાનંદી જીવ માને છે. હું આ જગતમાં માનવ તરીકે જન્મ્યો. મારામાં બુદ્ધિપ્રતિભા છે. એટલે હું મનગમતા ભોગ ભોગવવામાં
સ્વતંત્ર છું. મને જે સુખનાં સાધનો મળ્યાં છે તે મારા પુરુષાર્થથી મળ્યાં છે. તેથી હું નિરાંતે તે ભોગવવાનો અધિકારી છું.
પેલો ભૂખ-તરસે રિબાતો પ્રાણી ગલી ગલીમાં ભટકે છે અને દુઃખી થાય છે. બેમાંથી એકેને ખબર નથી કે આ સુખ અને દુ:ખનું કારણ શું છે ?
તું સુખમાં હો કે દુઃખમાં હો તે તારું સ્વાભાવિક જીવન નથી. સુખદુઃખના સીમાડામાં સમાઈ રહે તે તારું સ્વરૂપ નથી. આ સર્વે પુદ્ગલના સંયોગના વિકારો છે. તે મર્યાદિત છે. અને તારું સ્વરૂપ તો અમર્યાદિત-અપરિમિત છે. મર્યાદિત જીવન એટલે આત્માને દેહના સંયોગનો વિયોગ, પરંતુ પુદ્ગલાનંદીને એ ભોગમાં જ સુખ લાગે છે. અને તેના અભાવમાં દુઃખ લાગે છે.
તારું સ્વરૂપ આવું સીમાબદ્ધ નથી. તેને જડ વસ્તુના સંયોગ-વિયોગનો સ્પર્શ નથી. જે કંઈ કર્મના ઉદયે સંયોગ છે, તેની અવસ્થા છે તેને જ્ઞાની સ્વસ્વરૂપે માનતા નથી તેથી નિર્ભેળ સુખના સ્વામી છે. સંસારમાં પ્રાણીમાત્રનું જીવન કર્મને આધીન હોય છે. તે કર્મની વિચિત્રતા ઘણી ગહન છે. ચક્રવર્તી, સમ્રાટો કે આજના તવંગરો, પદવીધારીઓ વિવિધ પ્રકારનાં સુખ ભોગવે, આરામથી સૂવે, ખમા ખમા થાય. પાણી માંગતા દૂધ મળે. સૂકા મેવા મળે. ભાતભાતનાં
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org