________________
ધારણ થતાં આદર પામે. એક શરીર છૂટી જતાં દેહવાસના નવા શરીરની રચના કરે અને વળી ત્યાં તે શરીર પ્રમાણે ક્રિયા કરે. આ સર્વે નાટક પુદ્ગલના સંયોગથી સંભવ છે.
જીવને પુદ્ગલ વશ થઈ હરવા-ફરવાની, હાલવા-ચાલવાની અનેક ફુરણાઓ થાય છે. ક્યારેક તે બોલ્યા જ કરે છે. ક્યારેક તે કંઈ જોયા જ કરે છે અને ક્યારેક તો આંખ બંધ કરી ધ્યાનમાં બેસે છે. શરીરમાં રહીને જીવને ઇન્દ્રિયોના વિષયો પ્રમાણે નવી નવી ફુરણાઓ થયા કરે છે. બોલતાં થાકે તો સાંભળવા બેસે છે. સાંભળતાં થાકે તો જોવા દોડે છે. જોતાં થાકે તો આંખ બંધ કરી ભૂતકાળ કે ભવિષ્યકાળમાં ખોવાઈ જાય છે. પણ પુગલની સંગત છોડતો નથી.
ભાઈ તું ભલે જાગે કે ઊંધે પણ તારું જીવન તો અહોરાત્રિ જાગે છે. તું ભાવિને ભૂલે કે ભૂતકાળને ભૂલે પણ કર્મો ભૂલથાપ ખાતા નથી. જે સમયે જે બનવાનું છે તે થાય જ છે. આપણું રાખેલું કંઈ રહેતું નથી. અને મૂકેલું સચવાતું નથી. અરે, આ દેહને પણ રાખી કે સાચવી શકાતો નથી. માનવી તેવો પ્રયત્ન ભલે કરે. તે સર્વને વિનશ્વર જાણી તેમાંથી સુખદુઃખની કલ્પનાને કાઢી નાંખી આસક્તિ, મમતા ઓછી કરવામાં લાભ છે.
આ પૌદ્ગલિકવિલાસ તો જુઓ. પૌદ્ગલિક પદાર્થોમાં તદાકાર. વર્ણાદિ જડ ધર્મના રંગે રંગાઈ જવું. ઈદ્રિયોના વિષયોમાં અનુરક્ત રહેવું. આ સર્વ વિલાસ માટે કમર કસીને કમાવું. અને વિલાસ ફિક્કા પડે દુઃખી થવું. તે સર્વ પુદ્ગલની રમત છે.
મનગમતા કહું ભોગ ભોગવે, સુખ સયામેં સોવે, કહૂક ભૂખ્યા તરસ્યા બાહર, પડ્યા ગલીમેં રોવે. દર કોઈ મનગમતા ભોગભોગવે, અને સુખશપ્યામાં આરામ કરે, કોઈ ભૂખ્યો તરસ્યો આથડે, અને ગલીમાં પડીને રોવે.
આ સર્વ કર્મપ્રકૃતિની વિચિત્રતા છે, જે જીવે પોતે અજ્ઞાનવશ પેદા કરી છે. શુભભાવથી કરેલાં પરોપકારી કૃત્યો વડે. દાન જેવા
૯૮
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org