________________
મળેલા દેહાદિ પણ પૂર્વકર્મકૃત છે. પ્રકૃતિને યોગ્ય તારાં નામ ઠામ તને મળ્યાં છે. તેમાં ખોવાઈને નિજસ્વભાવને ભૂલવા જેવો નથી.
ટી.વી. જેવાં સાધનો એટલે એક કચકડાની પટી પર અમુક પદાર્થો દ્વારા આકૃતિઓ ગોઠવાયેલી હોય છે. તે યંત્રના અને વીજળીના સંયોગથી પ્રગટ થાય છે. પાટી પરનાં રસાયણોમાં ઊપજતાં પ્રતિબિંબો બુદ્ધિમાન જુએ છે અને સમજે છે કે આ દેશ્યો છે એ કંઈ સાચી હકીકત નથી.
આ પ્રમાણે આત્મપ્રદેશોની પટી ઉપર કર્મપ્રકૃતિનાં રજકણો પડ્યા છે. તેને નિમિત્ત મળતા તે દેહારિરૂપે પ્રગટ થાય છે. પછી તે પ્રાણી જે જાતિમાં જન્મ એકેન્દ્રિયાદિ તેની જાત કહેવાય છે. મનુષ્યની સૃષ્ટિ વિશાળ છે તેથી તેને વળી નાતની સમાજની કે ગોત્રની વળગણા હોય છે. નામનો મહિમા હોય છે. જ્ઞાની કહે છે, તારા આત્માના સ્વભાવમાં કે લક્ષણમાં આ નાત-જાત, નામ-ઠામ કે ઘર-ગામ કંઈ છે નહિ. તે સર્વે સંયોગ છે. તેમાં ઓતપ્રોત થઈ તું તારા નિત્ય અરૂપી એવા ગુણને ક્યાં ભૂલી જાય છે ?
પુગલ કે વસ હાલત ચાલત, પુદ્ગલ કે વસ બોલે, કહુંક બેઠા ટક ટક જુએ, કહુંક નયણ ન ખોલે. ૬૧
શરીર હાલે છે, ચાલે છે, ખાય છે, પીએ છે, કૂદે છે, નાચે છે, કે આત્મા હાલે છે ચાલે છે, ખાય છે, પીએ છે, કૂદે છે, નાચે છે ! જો શરીર આ સર્વ ક્રિયા કરતું હોય તો શબ એ શરીર છે, તેના વડે આ ક્રિયા થવી જોઈએ. કદાચ તું કહીશ કે આત્મા કરે છે તો મુક્તાત્માઓમાં આ ક્રિયાનો વિકલ્પ થશે તે પણ સંભવિત નથી.
તો પછી કોણ હરેફરે છે, નાચે છે, કૂદે છે ?
પુદ્ગલનો સંયોગ આત્મામાં ગજબની ફુરણા કરે છે. કીડીના શરીરમાં જાય એટલો સંકોચાય. હાથીના શરીરમાં જાય વિશાળ કાય થાય. આ આશ્ચર્યજનક ઘટના પુદ્ગલના સંયોગને આભારી છે. આ જન્મમાં કૂતરાના શરીરમાં હડધૂત થતો હોય અને નવું દેવનું શરીર
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
C-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org