________________
થઈ શકે.
તો પછી નામ, નાત, જાત વગેરેની લીલા શું છે?
પુદ્ગલના સંયોગથી જીવને નામઠામ ધારણ કરવા પડે છે, નામકર્મપ્રકૃતિ પ્રમાણે શરીરાદિની આકૃતિ મળે છે. ગોત્રકર્મની પ્રકૃતિ પ્રમાણે નાત જાત મળે છે, જે પુગલના સંયોગે મળ્યું છે કે કર્મપ્રકૃતિના ઉદયે મળ્યું છે તેમાં તારું શું છે? છતાં તે તે સર્વેમાં આત્મબુદ્ધિ કરીને જડથી ભિન્ન છતાં જડને વળગી પડ્યો છું. એટલે પેલાં જડ તત્ત્વ જાણે પોતાને ચેતન મનાવી તને અબુધ કરી મૂક્યો
પુદ્ગલસંગે મળેલા નામમાં તું એકરસ થઈ ગયો છે એ નામને મળેલા માન મોટાઈને તું તારા માને છે. એ નામની પ્રશંસાથી ફુલાય છે. પુદ્ગલના રક્ષણ માટે ઘર, નગર વસાવી તું તેને પણ પોતાના માને છે. અને જે જાતમાં જન્મ્યો તે એકેન્દ્રિયાદિ જાતિને પોતાનું સ્વરૂપ માને છે. તેમાં સ્વયં તું ક્યાં તે તો ભૂલી જ ગયો છું. તને કોઈ સદ્ગુરુ કહે કે તું ચેતન છું. અવિનાશી છું. શુદ્ધ છું. જ્ઞાન સ્વરૂપ છું તો તને તે વાત પરાઈ લાગે છે. તારું માથું નકારમાં ધૂણે છે કે હું તો વસ્ત્રપરિધાનમાં દેખાતો, શરીરાકારે રહેલો છું. તમે કહો છો તેવું કંઈ મને દેખાતું નથી.
આમ નિજગુણને વિસરી ગયેલો આત્મા સ્વયં સ્વરૂપ પ્રત્યે બેધ્યાન છે. સર્વજ્ઞ અને સર્વદર્શી સામર્થ્યવાળો તું નાની સરખી નાત અને જાતમાં ક્યાં ફસાઈ ગયો છું ? તેમાં નામ જાળવવા તું કેવા કષાયો કરે છે ? અભિમાનમાં તું કેવો લાગે છે ? તે વખતે તારું ચિત્ર દોરવામાં આવ્યું હોય તો તને સમજાય કે ક્યાં સમતાના નિવગુણવાળો તું અને ક્યાં આવી ક્ષુદ્રતાવાળું તારું પુદ્ગલસંગી જીવન ?
નાત-જાત કે ભાત, નામ ઠામ કે ગામ તે વ્યવહાર એ જગતની વ્યવસ્થા છે. દરેક જન્મે એ વ્યવસ્થા બદલાય છે. કારણ કે એ સર્વ વ્યવસ્થા મુખ્યત્વે કર્મપ્રકૃતિને આધીન છે, આ જન્મના
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International