SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સાચા સુખનો કે સંસાર તરવાનો કામી નથી. અને પરિભ્રમણના કારણોને સેવતા જીવને કોઈ બચાવી શકે તેમ નથી. નિષ્ણાત તબીબોના નિદાન પછી તેને સારા ઔષધો આપ્યા પછી, તું યોગ્ય પથ્ય ન પામે તો તું રોગથી મુક્ત થાય નહિ. કોઈક જીવો એવા મરણિયા થાય છે કે જે થવાનું હશે તે થશે, આવા સુંદર પદાર્થો સામે હોવા છતાં સંયમ પાળવાની જરૂર નથી તેમ માની તેના માટે જે કુપથ્ય છે તેના સેવનથી તે હર્ષ પામે તો તે પરિણામે દુઃખદાયક છે. આ જ નિદાન પગલસંગી ભવરોગીને લાગુ પડે છે. તું વિષયભોગની મર્યાદાને ન જાણે અને અસંયમને માર્ગે જાય. તે વિષયોમાં તું હર્ષ માને તો પરિણામ દુઃખદાયક આવવાનું છે. આખરે તું મરણને આધીન થાય છે. કહ્યું છે કે પ્રાણી પાતાળમાં પેસે, બ્રહ્મલોકમાં જાય, ઈન્દ્રના ભવનમાં ઘૂસી જાય, દરિયાપાર જઈને વસે, જંગલને છેડે વસે, મોટા પર્વતના શિખરે જઈને બેસે, અગ્નિનો સહારો લે, જળમાં બેસે, અંધકારમાં રહે કે પ્રકાશમાં રહે. વજની ગુફામાં રહે કે વિકરાળ સૈન્યની વચ્ચે રહે પણ સમય થયે તેને કાળ ગમે તે સ્થાનેથી શોધી લેશે, રોગ અને જરાથી ડરતો તું આ કાળને જાણતો ન હતો ? શા માટે કુપથ્યનું પાન કર્યું ? તેના પરિણામે દુઃખ પામ્યો. જાત્યપાત્ય કુલ ન્યાત ન જાણું નામ ગામ નવિ કોઈ પુદ્ગલસંગત નામ ધરાવત, નિજ ગુણ સઘલો ખોઈ. ૬૦ તું ચેતનરામ ! ક્યાંથી આવ્યો, અહીં આવ્યો પહેલા ક્યાં હતો ? ત્યાંની તારી જાત અને નાત કંઈ હતી. ત્યાં તારું નામ શું હતું ? જો તારી પાસે તેનો જવાબ નથી તો પછી આ જન્મમાં મળેલા નાત, જાત, નામ કે ઠામ આદિ કોના માનવા ? જે તારી સાથે નિત્ય રહેવાવાળા નથી તે તારા કેમ ગણવા ? અર્થાત ચેતનરામને કોઈ નાત નથી કે જાત નથી. તેને નામ નથી અનામી છે. તેને કોઈ ગામ નથી કે જ્યાં તેનો કાયમ વસવાટ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ ૯૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004902
Book TitlePudgalno Parihar Parmarthni Prapti
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy